________________
નિવેદન
શ્રી જૈન પ્રાચીન સાહિત્યદ્વાર ગ્રન્થાવલિના નવમા પુષ્પ તરીકે અને શેઠ. માણેકલાલ ચુનીલાલ શાહ જે. પી. તથા અ.સૌ. શ્રીમતી કમળાબહેન માણેકલાલ ચુનીલાલ શાહની સિરીઝના બીજા મણકા તરીકે પ્રાચીન મહાપુરૂએ રચેલી પ્રાચીન સક્ઝાને આ સંગ્રહ જનતા સમક્ષ મૂકતાં મને જે અનહદ આનંદ થઈ રહ્યો છે, તે અવર્ણનીય છે.
પ્રાચીન સઝાયાના આ સંગ્રહમાં પૂર્વે થઈ ગએલા મહાપુરૂષોનાં જીવનચરિત્રે તથા આત્મિક પદો વગેરેની જે સુંદર રચનાઓ પદ્યમાં પૂર્વ પુરૂષોએ રચી છે, તેને કઈ પણ જાતની ટીકા ટીપ્પણીઓની જરૂર હોય તેમ લાગતું નથી. આ સંગ્રહ પહેલાં કેટલાક સંગ્રહ પ્રસિદ્ધિમાં આવેલાં છે, પરંતુ તેમાંના મોટા ભાગે અશુદ્ધ અને સળંગ કાવ્યબદ્ધ તથા ભાવ વગરનાં ચિત્રોવાળાં છે અને તેથી જ બની શકે તેટલે શુદ્ધ કડીબદ્ધ અને પ્રસંગને અનુરૂપ ભાવવાહી પ્રાચીન તથા અર્વાચીન ચિત્રો સહિત આ સંગ્રહ જનતા સમક્ષ રજુ કરવા ઉઘુક્ત થયો છું અને આશા રાખું છું કે મારી ગ્રન્થાવલિના આઠમાં પુષ્પ તરીકે પ્રસિદ્ધ થએલ ૧૧૫૧ સ્તવન મંજુષા”ના પુસ્તકની માફક જનતા મારા આ પ્રકાશનને સુંદર આવકાર આપશે.
પ્રસ્તુત ગ્રન્થ એ સત્તરમી સદીની શરૂઆતથી માંડીને ઓગણીસમી સદીની અંત સુધીમાં થઈ ગયેલા જૈન મુનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org