________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની સજઝાય
[ ૩૭૭
ગુરૂની આણ સદા ધરઇજી, જાણઈ ગુરૂને રે ભાવ; વિનયવંત ગુણરાગીઓ છે, તે મુનિ સરલ સભાવ. ભવિક–૪ કણનું કું પરિહરિજી, વિષ્ટામ્યું મનિ રાગ; ગુરૂ દ્રોહી તે જાણવાજી, સૂઅર ઉપમા લાગ. ભવિકે-૪ કહ્યા કાનની કૂતરી, ઠાંમ ન પામઈ રે જેમ, સીઅલ હીણ અકહ્યાગરાજી, આદર ન લહઈ તેમ. ભાવિક-૬, ચંદ તણી પરિ ઊજલીજી; કીતિ તે લહંત; વિષય કષાય જિતી કરી છે, જે નર વિનય વહંત. ભવિકo-૭ વિજયદેવગુરૂ પાટવીજી, શ્રીવિજયસિંહસૂરિંદ; શિષ્ય ઉદય વાચક ભણેજી, વિનય સયલ સુખકંદ. ભવિકo-૮ ઈતિ શ્રી વિનયાધ્યયન પ્રથમ સઝાય.–૧
ઢાળ બીજી
(૨૮૩)
સરસતી સાર સુમયા કરી–એ રાગ. સેહમ સામિ જબ પ્રતિ, ઉપદિશિ ધર્મ સુવિચાર રે, ઉત્તરાધ્યયને બીજઈ કહ્યો, પરિસહ તણે અધિકાર રે. -૧ ઇંદ્રીય જય તુહે આદરે, જિમ લહો સુખ સંસાર રે, અનુક્રશ્મિ ના કિરિયા થકી, શાશ્વતાં સુખ લહે સાર રે.
ઈદ્રિય૦-૨ છુહ તૃષા સીતનઈ તાવડ, ડંસ અચેલ તિમ હોય રે, અરતિ રતિ નારી ચરયા વલી, નિસહી સંજ્ઞા પણ જાય રે.
ઇંદ્રિય૦-૩ તેમ આકોશ વધ જીવના, રોગ અલાભ તૃણ ફાસ રે; મલસું સતકાર મતિ મૂઢતા, હાઈ સમકિત સુખવાસ રે. ઈ-૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org