________________
૩૩૦]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
- *
*
*
*
*
*
શ્રી જ્ઞાનવિમલસૂરિ કૃત આત્માને શિખામણુની સજઝાય
- (૩૮) માહરા આતમ, એહિ જ શીખ સાંભળે; કાંઈ કુમતિ કુસંગતિ ટાળો રે. માહરા –એ રાગ. સુગુરૂ સુદેવ સુધર્મ આદરજે, દોષ રહિત ચિત્ત ધરજે; દેષ સહિત જાણું પરિહરજે, જીવદયા તું કરજે રે. માપાછલી રાતે વહેલો જાગે, ધ્યાન તણે લય લાગે; લોક વ્યવહાર થકી મત ભાગે, કષ્ટ પડે મમ માગે રે. મા૨ દુઃખ આવે પણ ધર્મ મ મૂકે, કુળ આચાર મ ચૂકે; ધરતી જેઈને પગ તું મૂકે, પાપે કિમહી મ ટૂકે છે. મા-૩ સશુરૂ કેરી શીખ સુણજે, આગમને રસ પીજે, આળી રશે ગાળ ન દીજે, આપ વખાણ ન કીજે રે. મા-૪ શક્ત વ્રત પચ્ચખાણ આદરીયે, લાભ જોઈ વ્યય કરીયે; પર ઉપકારે આગળ થાયે, વિધિશું યાત્રાએ જઈયે રે. મા૫ સમકિતમાં મત કરજે શંકા, ધમેં મ થાઈશ વંકા; છડી સત્વ ન થાયે એ રંકા, સંતોષ સેવન ટૂંકા રે. મા૬ કિમહી જુઠું વયણ મ ભાખે, જિન ભેટે લેઈ આખે; શીલરતન રૂડી પરે રાખે, હીણે દીણ મ દાખે રે. મા–૭ સમકિત ધર્મ મ મૂકે ઢીલો, વ્યસને મ થાઈશ વિલે; ધર્મ કાજે થાજે તું પહેલે, એહિ જ જસને ટીલે રે. મા–૮ જ્ઞાન દેવ ગુરૂ સાધારણનું, દ્રવ્ય રખેવું કરજે, પાખંડી અન્યાય તણું દ્રવ્ય, સંગતિ દરે કરજે રે. મા –૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org