________________
શ્રી કૃષ્ણવાસુદેવની સજઝાય
[ ૨૮૯
તસ ઘરણી કુંતા સતી, વળી માહેદ્રી બીજી નાર રે. વળી, પાંડવ પાંચે વંદતા મન મેહેરે, મન મેહે મેહનલિ; ત્રિજગ માહે દીપતા અતિ સેહે છે. એ આંકણી – ૧ પાંચ પાંડવ કુંતા તણું તેમાં જગત વિખ્યાત દેય રે; પંચ સહેદર સારીખા, નળ કુબેર સરીખા હેય રે.
નળ૦પાંચ – ૨ એક દિન સ્થવિર પધારીયા, પાંચ બાંધવ વાંદવા જાય રે , દેશના સુણી મન ગહગહ્યા, ભાઈ સમય જાય છે આય રે.
ભાઈ પાંચ – ૩ જિનવર ચકવતી જે હુઆ, સ્થિર ન રહ્યા કોઈ દેવભૂપ રે; તન ધન જોબન કારમાં, સંસારનું વિષમ સ્વરૂપ રે. સંપાં - ૪ સંસાર માંહે પલેવડું લાગ્યું, તે કિમ ઓલાય રે; જિનવર વાણી સીંચતાં, આપણો ભવ ભવનાં દુઃખ જાય રે.
આ પાંચ૦- ૫ પાંડવ પાંચે વિચારીયું, આપણ લેશું સંયમભાર રે; પુત્રને રાજ્ય સેંપી કરી, દ્રપદીશું કરે વિચાર છે. દ્રૌપાંચ - ૬ દ્વપદી વળતું એમ કહે, અમે પણ મેલશું સંસારને પાસ રે; કંથ વિના શી કામિની, મુજ ભલો નહિ ઘર વાસ રે.
મુજ પાંચ – ૭ પાંચે આવી ગુરૂને કહે, અમે લેશું સંયમ ભાર રે, માનવભવ અતિ દોહિલે, અમે પાળશું સંયમ સાર રે.
અમે પાંચ – ૮ ગુરૂ કહે પાંડવ સુણે, તમે રાજપુત્ર સુકુમાર રે, ચારિત્ર પંથ અતિ દોહિલે, તમે કેમ સહેશ ભૂપાળ રે.
તમે પાંચ – ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org