________________
શ્રી કલાવતિની સજઝાય
[૨૬૧
તેણે અવસરે રાજા રોષે ભરાણે, તેડાવ્યા સુભટ બે ચાર; સુકી નદીમાં છેદનીઆ કરાવોને, કર કાપી લાવો આંહી રે.
કલાવતિ–૬ સુકી નદીઓમાં રેલ રે થાય, વૃક્ષ નવપલ્લવ થાય; કર નવા આવેને પુત્ર ધવરાવે, શીયળ તણે સુપસાય રે. કલા –૭ બેરખડાં વાંચીને મનમાં વિમાસે, મેં કીધો રે અકાજ; વિણ અપરાધે મેં છેદનીઆ કરાવ્યા, હઈડે ન વિમાસી વાત રે.
- કલા –૮ તેણે અવસરે રાજા ધાન ન ખાયને, મેકલ્યા સુભટ બે ચાર; વનમાં જઈને ખબર કઢાવે, જે આવે શીલવંતી નાર રે.
કલાવત૯ તેણે અવસરે શ્રી મહાવીર પધાર્યા, પૂછ પર ભવની વાત; કહોને પ્રભુજી મેં શા કીધાં પાપ, તે ઉદય આવ્યા છે મુજ
આજ રે. કલાવતિ–૧૦ તું હતી બાઈ રાજાની કુંવરી ને, એ હતો સુડલાને જીવ; તેણે અવસરે એહની પાંખ છેદાવી, તે ઉદય આવ્યા છે આજ રે.
કલાવતિ–૧૧ તમે તમારી વસ્તુ સંભાળોને, અમે લઈશું સંજમ ભાર; દીક્ષા લીધી શ્રીમહાવીરજીની પાસે, પોંગ્યા મુક્તિ મઝાર રે.
કલાવતિ૦-૧૨ શ્રી ઈષકાર કમલાવતીની સઝાય
(૧૮૮) મહેલે તે બેઠાં રાણુ કમલાવતી, ઉડે છે ઝેરી બેહ,
સાંભળ હે દાસી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org