________________
શ્રી રાજિમતિ રહનેમિની સજઝાય [૧૮૫ વ્રત ચૂકીને દુર્ગતિ અવતરશો, પરમાધામને વશ પડશે,
જે આળ હમારી તમે કરશે. એ દેવરજી -૫ તે નિજ કૂળની લજજા મૂકી, અતિચાર ગયે સંયમ ચૂકી;
કુણ નિરખે હો મુનિ નિજ ઘૂંકી. એ દેવરજી –૬ એહ વાત તેને નવિ છાજે છે, ઈમ જપતાં યદુકૂળ લાજે છે;
વળી મહાવ્રત તમારાં ભાંજે છે. એ દેવરજી–૭ જુઓ અમ સરખી રાણી રૂડી, ભર યૌવન તમ ભ્રાતે છેડી;
તોય મૂરખ પ્રીતિ કિસી જેડી, એ રહનેમિ; નેમિ તણી હું નારી તે જેને વિચારી, અતિ હિતકારી,
ગુરૂ બંધવની નારી તે જનની હારી.-૮ પ્રતિબંધ ઈત્યાદિક ઈમ આપી, દેવરનું દિલડું સ્થિર સ્થાપી;
દેઈ મિસ્યા દુષ્કૃત અઘ કાપી. એ રહનેમિ-૯ તવ તે તિહાંથી તુરત જ વળીયા, કહે ઉત્તમ જન પંથે ભળીયા;
રહનેમિ રાજુલ જિનને મળીયા. એ રહનેમિ-૧૦ સહસાવન સંયમ નિરધારી, શિવ પહત્યા જિન રાજુલ નારી; એ અવિચળ જેડ યદુ અવતારી, પ્રભુ સુખકારી, લેઈ સંયમ રહનેમિ વય શિવનારી, ભવિ ઉપગારી,
નેમિ નવ ભવ નેહ પ્રથમ પ્રિય તારી.-૧૧ રહનેમિ સંસાર જણાવ્યું છે, રાજુલ શુદ્ધ માર્ગ સુણાવ્યો છે;
ઈહાં એ અધિકાર બનાવ્યો છે. પ્રભુ ઉપગારી૦-૧૨ સંવત પંચોતેર અઢારે, કાર્તિક સુદી બીજ રવિવારે;
ચિત્ત ચોકસ ચાર ચતુર ધારે. પ્રભુ ઉપગાર -૧૩ ગુરૂ ગૌતમ નામે જસ પાયે, તસશિષ્ય ખુશાલવિજય ભા; તસ શિષ્ય ઉત્તમચંદ ગુણ ગાયે. પ્રભુ ઉપગારી૦–૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org