________________
શ્રી નેમ રાજુલની સજઝાય
[૧૯
યાદવ કેડીએ રે પરિવર્યા, સાથે દશે દસાર; નેમજી ગયવર ચઢીયા, આવ્યા તોરણબાર. તેં – ૯ સ્વામી પૂછે રે સારથી, એ શા ભરીયા રે વાડ; તુમ પ્રભાતે રે પરગડે,હશે પશુડાનો ઘાત. તેo-૧૦ હરણી બોલે રે હરણલા, તે કાં કીધે રે પોકાર; રહે રહે છાનું રે છુટશું, આ નેમિ કુમાર. તેં૦-૧૧ સાબર બોલે રે સાબરી, સાંભળ સુંદરી વાત; જાયા જશું રે આપણાં, આવ્યો ત્રિભુવન તાત. તે૦-૧૨ રેઝ ભણે સુણ રેઝડી, ઘડી ઘડી ઉથલ ન થાય; આ દેવ દયાળુઓ, હિંયડે હર્ષ ન માય. તે૦-૧૩ કાળે ઘોડે રે કાબલે, સામળીઓ અસવાર; નિમજી ઘોડો વાળીઓ,જઈ ચઢયા ગઢ ગિરનાર.તે૦૧૪ સ્વામી પૂછે સુણ સારથી, આશા ભરીયા રે વાડ; સાબર મૂક્યા રે મોકળા, વેગે વરી રથ વાળ. તે૦–૧૫ નિજ નિજ ઠામે રે તે ગયા, બોલે મધુરી રે વાણ; કેડી વરસાં રે જીવજો, રાજુલ પ્રીતિ નિર્વાણ. તેo-૧૬ નેમ જિનેસર વીનવે, નહિ સંસારનું કામ; એક સ્ત્રીને રે કારણે, એવડે પશુઓને ઘાત. તૈ૦-૧૭ વરસીદાન જ વરસી, પૃથ્વી ઉરણ કીધ; ચઢીઓ ગિરનારે જઈ, તારક ચારિત્ર લીધ. -૧૮ ગાજી વાજી રે ગડગડા, વર ગઢ ગિરનાર; સહસાવન સરોવર ભર્યું, તરસી રાજુલ નાર. તે૦–૧૯ હયવર હીંસે રે હંસલા, ગાયવર બાંધ્યા રે બાર; ભેગ ભલી પરે ભેગવે, રૂડી રાજુલ નાર. તે૦-૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org