________________
૧૫ર ]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
શ્રી મનકવિજયજી વિરચિત શ્રી ગજસુકુમાલનું દ્વિવાળીયું
ઢાળ પહેલી (૧૧૭)
સરસતિ સમરું શારદા રે, પભણું સુગુરૂ પસાય; ગજસુકમાળ ગુણે ભર્યા રે, ઉલટ અંગ સવાય. મારા જીવન, ધર્મ હૈયામાં ધાર. દીપે નગરી દ્વારિકા રે, વસુદેવ નરપતિ ચંદ; શ્રી કૃષ્ણ રાજ્ય કરે તિહાં રે, પ્રગો પુનિમચંદ. મે -૨ ન્યાયતંત નગરી ઘણી રે, બળી બળભદ્ર વીર; સર્વ કળા ગુણે કરી રે, આપે અતિ મન ધીર. -૩ સ્વામી નેમિ સમોસર્યા રે, સહસાવન મોઝાર; બહુ પરિવારે પરિવર્યા રે, ગુણમણિના ભંડાર. મેવ-૪ વંદન આવ્યા વિવેકથી રે, કૃણુદિક નર નાર; વાણી સુણાવે નેમિ રે, બેઠી પર્ષદા બાર. મે -૫ ગજસુકુમાળ ગુણે ભર્યા રે, આવ્યા વંદન એહ; વિનય કરીને વાંદીયાં રે, ત્રિકરણ કરીને તેહ. ૦-૬ ઘે દેશના પ્રભુ નેમિજી રે, આ છે અથિર સંસાર; એક ઘડીમાં ઉઠ ચલે રે, કઈ નહિ રાખણહાર. મો-૭ વિધ વિધ કરીને વીનવું રે, સાંભળે સહુ નર નાર; અંતે કેઈ કેહનું નહિ રે, આખર ધર્મ આધાર. મોટ–૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org