________________
૬૭૪ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
.
...
શ્રી યશોવિજયજી કૃત.
મુનિસુવ્રત જિન વંદતા, અતિ ઉલસિત તન મન થાય રે; વદન અનુપમ નિરખતાં, માહરા ભવભવના દુઃખ જાય રે. જગતગુરૂ જાગતે સુખકંદ રે, સુખકંદ અમંદ આનંદ. જ. ૧ નિશદિન સુતાં જાગતાં, હાયડાથી ન રહે દૂર રે, જબ ઉપગાર સંભારીયે, તબ ઉપજે આણંદ પૂર રે. જળ૦ ૨ પ્રભુ ઉપગાર ગુણે ભય, મન અવગુણ એક ન સમાય રે; ગુણગણ અનુબંધી હુઆ, તે તો અક્ષયભાવ કહાય રે. ૪૦ ૩ અક્ષયપદ દીયે પ્રેમ જે, પ્રભુને તે અનુભવ રૂપ રે; અક્ષરસ્વર ગોચર નહિ, એ તે અકલ અમાય અરૂ૫ રે. ૪ અક્ષર ભેડા ગુણ ઘણું, સજજનના તે ન લખાય રે; વાચક જણ કહે પ્રેમથી, પણ મન માંહે પરખાય રે. જ૦ ૫
(૯૦૫) આજ સફળ દિન મુજ તણે, મુનિસુવ્રત દીઠા; ભાગી તે ભાવઠ ભવ તણી, દિવસ દુરિતના નીઠા. આ૦ ૧ આંગણે કલ્પવેલી ફળી, ઘન અમિયન વૂઠા; આપ માગ્યા તે પાસા ઢળ્યા, સુર સમકિત તૂઠા. આ૦ ૨ નિયતિ હિત દાન સનમુખ હે, સ્વ પદય સાથે; જશ કહે સાહિબે મુગતિનું, કરિઉં તિલક નિજ હાથે. ૩
૧ માયારહિત, ૨ પાપના. ૩ વરસ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org