________________
પાઠ સંગ્રહ
૩૩
પ્રતિમા મારા અંતર તાપને શમાવીને મારામાં શાંતિનો સંચાર કરજે !
પ્રભુ ! કોઈ મહામંત્રની જેમ આપના નામસ્મરણરૂપી મંત્ર પાપીઓના પાપનો નાશ કરે છે !
નાથ ! કોઈ મહાદાનીની જેમ આપની પ્રતિમાનું દર્શન પ્રાણીઓને પુણ્ય સમૃદ્ધિનું દાન કરે છે !
દેવ! કઈ પારસમણિની જેમ આપની પ્રતિમાનું પવિત્ર સ્પશન-આપની પ્રતિમાનું પૂજન આત્મભાવને જાગ્રત કરીને પ્રાણીઓના આત્માને નિર્મળ બનાવે છે.
પ્રભુ ! આપનું નામસ્મરણ મારાં પાપને દૂર કરજે, આપનું દર્શન મારી પુણ્યસમૃદ્ધિને જાગ્રત કરજે અને દેવ! આપનું પવિત્ર પૂજન મારા સમસ્ત કર્મોને દૂર કરી મારા આત્માને Jain Education Internationalivate & Personal Use Dinly.jainelibrary.org