________________
પાઠ સહ
૨૫૧
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પ્રભુ ! આપના એ પરમ પાવન ચરણે, આ ભયંકર ભવાટવીમાં, મારું શરાણું હજો ! હે વિશ્વવત્સલ વિભુ
આપના પગલે પગલે સ્નેહની સરિતા ઊભરાઈ છે. અને એ સ્નેહની સરિતાએ સંસારમાં ભભૂકતા દ્વેષ અને વૈરના દાવાનલે ઉપર સદાય અમી છાંટણું કર્યા છે. પ્રભુ ! આપના સમવસરણની રચના સૌને મંત્રમુગ્ધ કરી દે એવી છે, ન ઠેષ, ન વૈર ! જાણે સૌ જ દેહભાવ ભૂલીને આત્મભાવમાં લીન થયા હોય એમ સમતારસમાં ઝીલતા આપના ચરણે આવી વસે છે. સિંહ ને ગાય જાણે માડી જાયા ભાઈબહેન ન હોય; વ્યાધ્ર અને હરણ જાણે ભાઈ ભાઈ ન હોય; મેર અને સર્પ જાણે એક કુળના ન હોય; એમ જમથી વૈરભાવ ભરેલા પ્રાણીઓ આપના Jain Education Internatwnativate & Personal Use Dialy.jainelibrary.org