________________
૨૫૦
શ્રી જેન નિત્ય
[ 1 ] જળ ભરી સંપુટ પત્રમાં યુગલિક નર પૂજત; કાષભચરણ અંગુઠડે, દાયક ભવજળ અંત. હે કરુણાસાગર પરમાત્મન !
અનાદિ કાળના સંસાર ભ્રમણથી થાકેલે હું આજે આપના ચરણે આવ્યો છું! આપના ચરણનું શરણું પામીને અનેક દીન દુઃખી અને પાપી આત્માઓ ભવને નિસ્તાર પામી પરમ પદને વર્યા છે. દેવના દેવ ઈદ્રિો, નરેદ્રો અને ગીન્દ્રોએ આપના ચરણોથી પવિત્ર થયેલ રજને પિતાના મસ્તકે ચડાવી છે. આપના ચરણની પવિત્ર રેણુએ કંઈક પાપીઆઓની પાપવાસનાઓ ઉપર સૌરભ પાથરી છે. જ્યાં જ્યાં આપના ચરણેએ વિહાર કર્યો છે ત્યાં ત્યાં સુખ અને માંગલ્યના ઓઘ ઉભરાયા છે.
Jain Education Internatonativate & Personal Use Dialy.jainelibrary.org