SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. HISTOPHI જેને અપૂર્વ મહિમા શાસ્ત્રકાર મહારાજે કહ્યો છે એવા શ્રીસિદ્ધચક્રજી નવપદજી, ભવભ્રમણના અંત કરવામાં અદ્વિતીય સાધનભૂત છે. આત્મ હિતેચ્છુને શ્રી સિદ્ધચક્રજીના આરાધન માટે ખાસ આય'ખિલ ( આચામ્લ ) તપ કરી વિધિપૂર્વક તેનું આરાધન કરે છે. જૈન દેવાલયેામાં ભગવંતની વિવિધ પ્રકારે ભક્તિ કરે છે. એટલું જ નહિ પણ શ્રી સિદ્ધચક્રજીની અલૌકિકપણે આરાધના કરવાથી આત્મકલ્યાણ કરવા સાથે લૌકિકસ પદ્મા પ્રાપ્ત કરનાર સતી મયણાસુંદરી અને શ્રીપાળ રાજાના ચરિત્રનું ભાવપૂર્વક શ્રવણ તેમ જ મનન કરે છે. એ શ્રી નવપદજીનાં નામ અને તેનાં આરાધનની ટૂંકી સમજણ નીચે પ્રમાણે છેઃ—— ૧. શ્રીઅરિહંતપદ—શ્રીજિનાગમના સારભુત શ્રી પંચ પરમેષ્ઠી મહામંત્રમાં આ પદ મુખ્ય છે. શ્રી જિનપ્રતિમાની શુદ્ધ આશયથી દ્રવ્ય તેમ જ ભાવપૂર્ણાંક ભક્તિ કરવી, શ્રીજિનાજ્ઞાનું પાલન કરવું અને શ્રીનેિદ્રનાં કલ્યાણકના દિવસેાએ વિશેષ પ્રકારે ભક્તિ કરવી વગેરેથી આ પદ્મનું આરાધન થાય છે. ૬. શ્રીસિદ્ધપદ-સકલ કક્ષય કરી ચૌદમા ગુણસ્થાનકને અ ંતે સાપ્તિ અન તમે ભાગે જે લેાકાતે સ્થિત રહેલા છે, એવા સિદ્ધ પરમાત્માનું તેમના ગુણે! સહિત ધ્યાન કરવું, દ્રવ્ય તેમ જ ભાવપૂર્વક તેમની ભક્તિ કરવી વગેરેથી આપનું આરાધન થાય છે. ૩. શ્રીઆચાર્ય પદ—આચાર્યના છત્રીસ ગુણ્ણાએ યુકત, પંચાચારનું સ્વયં પાલન કરનાર અને અન્ય મુનિએ પાસે પાલન કરાવનાર જિનેાકત દયામય–સત્ય ધર્મને શુદ્ધ ઉપદેશ કરનાર, નિરંતર અપ્રમત્ત દશામાં વવાના ખપી, ધર્મ ધ્યાનાદિ શુભ ધ્યાનના ધ્યાતા, ગચ્છના મુનિઓને ચાર પ્રકારની શિક્ષા આપનાર ઈત્યાદિ ગુણેાએ યુકત એવા આચાર્ય મહારાજની દ્રવ્ય અને ભાવથી ભિત કરવાથી આ પદનું આરાધન થઈ શકે છે. ૪. શ્રીઉપાધ્યાયપદ—નિર્મળ જિનાગમના બેધ સહિત ચારિત્ર પાલનમાં સદાય સાવધાન રહી, કેવળ ઉપકાર દૃષ્ટિથી સાધુ સમુદાયને સૂત્રાનું દાન આપનાર, પૃથ્થર જેવા જડ બુદ્ધિવાળા શિષ્યને પણ સુવિનીત અનાવવાની શિત ધરાવનાર તથા નિરંતર સજ્ઝાય ધ્યાનમાં વર્તનાર શ્રી ઉપાધ્યાય મહારાજની ભક્રૂિત વગેરે કરવાથી આ પદનુ આરાધન થઈ શકે છે, ૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy