SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ શ્રીપાળ રાજાને રાસ. અર્થ –હવે અજિતસેન મુનિ દેશના આપે છે. હે ભવી પ્રાણિઓ! શ્રીજિનેશ્વર દેવની કહેલી વાણી કે જેમાં દયાધર્મ મુખ્ય છે તે મોક્ષ માર્ગે ચઢાવનારી, પાપ સંતાપને હરનારી, અને સંસાર સમુદ્રને પાર કરનારી છે. તે દુર્ગતિનિવારક જિનવાણીને તમે તમારા ચિત્તની અંદર ધારણ કરે. નહીં કે આ કાને સાંભળી આ કાનથી કહાડી નાખે ! તથા મેહમાં મુંઝાયેલા ન ફરે, કેમકે મેહ છે તે જ ભવભ્રમણાની વૃદ્ધિનું કારણ છે, અને જ્યાં સુધી જીવને ક્ષાયિક ગુણ પ્રગટો નથી ત્યાં સુધી છે, જેથી તેનો ત્યાગ કરવાથી નિશ્ચય સુખ પામશો. તે નિશ્ચય સુખ સિદ્ધના જીવને જ હોય છે તે પ્રાપ્ત કરવાની આવશ્યકતારૂપ સંવેગ ગુણ પાળે, અર્થાત્ સંવેગ એને કહેવાય છે કે જે કિયાની અંદર મોક્ષમાર્ગાનુયાયી ક્રિયા કરવામાં આવે તે સંવેગપણનું પાલન કરવું અવશ્યનું છે. હે પુણ્યવંત છે ! એ હિતશિક્ષા મહા પુણ્યવંત, તથા અનંત જ્ઞાન-વિજ્ઞાન-અનંત શકિત-અનંત બળવંત બિરાજમાન કેવળી ભગવંતશ્રીએ જ કહેલી છે કે, મોહ ત્યાગવાથી જ અવશ્ય સુખ મળશે, માટે એ સંબંધી વિવેચન સાંભળે. હે ભવિકજને ! આ માનવભવ દશ દષ્ટાંત કરી પામવો દુર્લભ છે. તે દશ દષ્ટાંતો સુર્લંગ ૧, પાસગ ૨, ધને ૩, જૂએ ૪, યણેઅ ૫, ગુમિણ કે ચક્કઅ ૭, કમ ૮, જુગે ૯, પરમાણુ ૧૦ દશ દિઠતા મયુઅલભે. તે દષ્ટાંતોની પેઠે મનુષ્યજન્મ મળ મહા કઠીન છે. અને મહા પુણ્ય પ્રકૃતિનો સંચય થઈ જાય તો પામીએ. મનુષ્યજન્મ કદાપિ પણ પામ્યો તેમાં આર્ય દેશમાં જન્મ પામવો ઘણો જ દુર્લભ છે. જ્યારે પૂર્વકૃત શુભ કરણીને યોગ મળે ત્યારે જ તે મુશ્કેલીથી આર્ય દેશ પ્રાપ્ત થાય છે. આ ભરતક્ષેત્રની અંદર બત્રીશ હજાર દેશ છે તે માંહે સાડી પચીશ દેશ જ આર્ય દેશ છે, બાકીના બધા અનાર્ય ગણાય છે. આર્ય દેશ તેને જ કહેવાય છે કે જ્યાં સુધદેવ, ગુરૂ અને શ્રીવીતરાગ ભાખેલે ધર્મ, તેની સામગ્રીના સાધક આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ સાતનો યોગ હોય તે ઉત્તમ દેશ-આર્ય ગણાય છે. તેવા આર્ય દેશમાં જન્મ પણ કદાચિત પૂર્વકૃત ધર્મકરણના યોગ વડે પ્રાપ્ત થયો, તે પણ તેથી શું સિદ્ધિ થઈ? કેમ કે ઉત્તમ દેશમાં જન્મ મળ્યા છતાં પણ શેઠ-સાહુકાર-ધનાઢચ-પુન્યવંત પિતા માતાના ઉત્તમ પક્ષવાળા કુળમાં જન્મ મળવો મુશ્કેલ છે, મતલબ કે આર્ય દેશમાં જન્મ થયા છતાં પણ વાઘરી ભીલ-કોળી–ભેઈ-કસાઈ-શિકારી-હિંસા કરનારના કુળમાં જન્મે તો તેથી તે પણ નકામું છે. નઠારા કુળમાં પેદા થયો તે આર્ય દેશ મળ્યાની શું નવાઈ ગણાય? નાહક ભૂમિને ભારે મારવા અવતર્યો. કદાચિત્ પૂર્વ પૃદયબળથી માનવભવ, આર્ય દેશ અને ઉત્તમ કુલ પામ્યો, છતાં પણ સુંદર રૂપ, નિરોગી શરીર અને લાંબું આઉખું એ મળવાં મહા મુશ્કેલ છે. કદરૂપ, રોગીષ્ઠ અને ઓછા આયુષ્યવાળા હોય તે ઉત્તમ કુળમાં જન્મ થવાથી પણ શું થયું ? કેમકે કદરૂપાને કેઈ આદર ન આપે, રેગીને કઈ પ્રેમભાવ ન દેખાડે, તેમ જ ધર્મકરનો ઉદય ન થાય અને ટૂંકી આવરદાવાળાને પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy