SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ २१२ શ્રીપાળ રાજાને રાસ. ભરેલું હોય તો તે ઝાડ ઉપરથી કદિ પણ નવપલ્લવ સહિત ભાવંત રહે જ નહીં ! એ જ મુજબ જે આપના શરીર મધ્યેના અંતઃકરણમાં ઉપશમલીલા ન હોત તો કદાપિ ઉપરથી સમતામય દેખાવ કાયમ રહેત જ નહીં, માટે જ કહી શકું છું કે જેવી ઉપરથી મુદ્રા મનહર છે તેવી જ અંતરમાં પણ ઉપશમગુણ સહિત છે એથી આપ સુગુણ પુરંદર છે. હે પ્રભુ ! આપ વિરાગી (રાગ રહિત) છે. તેમ જ બહાર અને અંદરના સંગના ત્યાગી છે. બહારના સંયોગે સ્ત્રી-પુત્ર-ધન-ધાન્ય વગેરે પરિગ્રહ એનાથી, તથા અંતરના સંયોગો ક્રોધ-માન-માયા-લભ-રાગ દ્વેષ વગેરે કષાયાદિ યોગ તેમ જ અવિરતિ મિથ્યાત્વથી રહિત છે. વળી, આપ સૌભાગ્યવંત છો. હે મુનિ પતિ ! પુનઃ આપની સારી મતિ જાગ્રત થઈ અને કુમતિને નાશ થયે એથી સંસારની અનાદિ ભવભ્રમણ પરંપરાદિકની જે ભાવઠ (ભવની હઠ) અને ભવની અનાદિ સ્થિતિ દરિદ્રપણું મૂળથી ભાગી જવાને લીધે આપ નિહાલ થયા છે. વળી તે પુનિતાત્મા ! આપ સ્વર્ગ, મૃત્યુ અને પાતાળના રહેનાર સુર નર અસુરના સમૂહને પૂજવા યોગ્ય થયા છે, અને મને તે અત્યંત પ્યારા પૂજનીય છો; કેમકે પહેલાં પણ આપ જ્યારે ગૃહસ્થાશ્રમી હતા ત્યારે મારા કાકા હેવાથી પિતાને ઠેકાણે હતા એથી આપને હું લાયક જ હત; કારણ આપ વયોવૃદ્ધને મારે વિનય સાચવ જ યોગ્ય હતો ! વિનય છે તે સહજ શ્રીજિનશાસનનું મૂળ છે. વિનય વડે જ મનુષ્ય ધર્મ પામે, સુલભબધી થાય. દેવ દાનવ માનવ વશ થાય, આચારનું ભાન થાય અને સઘળા ગુણની પ્રાપ્તિ થાય; કેમકે ગુણ માત્ર વિનયને જ આધીન છે, એ વિનય સાચવવા માટે આપને હું નમવા યોગ્ય હતો. અને હવે વળી આ૫ ત્રણે લેકને નમવા યોગ્ય થયા છે, તેમ જ મારે તે વળી વિશેષ પણે નમન-પૂજન-સત્કારાદિ કરવા લાયક છે. કારણ કે-આપે કષાય વગેરેને ઉપશમાવવાવાળા ધર્મને આદર્યો એટલે કે આપ ચારિત્રધારી થયા એથી આપ પૂજ્યને હું વારંવાર વંદના કરું છું. ( આ રીતે શ્રીપાલ મહારાજે વિનય વચને કરી ભક્તિ સહિત અનેક પ્રકારની સ્તવના કરી) કવિ યશોવિજયજી કહે છે કે–અજિતસેન મુનિ મહારાજને શ્રીપાલજીએ-આ પ્રમાણે-અખંડ સનેહ સહિત સ્તુતિ કરી આ શ્રીપાલ રાસના ચોથા ખંડ અંદરની પાંચમી ઢાળ પૂર્ણ રાગ સાથેની મેં કહી બતાવી કે જે કોઈ મુનિ કે ગૃહસ્થ શ્રી સિદ્ધચકરૂપ ન પદને મહિમા મોટા મહિમા સહિત ગાશે, તે સારે યશ વિનયરૂપ ગુણ વડે લક્ષ્મી અને મોક્ષ પ્રાપ્ત કરશે. –૧૦ થી ૧૪ દેહા છંદ અજિતસેન મુનિ ઈમ યુણી, તેહને પાટ વિશાલ; તશ અંગજ ગજગતિ સુમતિ, થાપે નૃપ શ્રીપાલ. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy