SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ શ્રીપાળ રાજાને રાસ. વર્યો હતે તેને જ તું પુત્ર છે, માટે આજે અણીની વખતે કુળનું તેજદાર પાણી બતાવી અન્નદાતારનું પણ જાળવે એમાં કાંઈ નવાઈ જેવું નથી. હીરાની ખાણમાં હિરા જ પાકે છે, અને ફલાણુ મિસાળને ભાણેજ છે! અને તે વંશની સુશળ માતાની કુખમાં લેટેલ છે જેથી ધણુના કામમાં કદિ પાછી પાની નહીં જ કરે. તેમ તમે સ્વામીભક્ત નિમકહલાલ બે છીપનું મંતી છે જેથી આજે તમારા વગર અહિયાં ધણીને પડેલા કામ માટે કોણ શિરસ યુદ્ધ કરે તેમ છે ? ઈત્યાદિ ઈત્યાદિ બિરૂદ વચન બેલી વીરેને સતેજ કર્યા કે તુરત તેઓ વીરવેશમાં આવી મને હર સુગધીવંત ચંદન રસ વડે પિતાનાં શરીર સુશોભિત કરવા લાગ્યા, કેસરનું તિલક ત્રિપુંડ તાણી વિજય મેળવ્યા વગર પાછા ન ફરે તે સંબંધી કેસરી કરી અવશ્ય જીત મેળવવી, અગર સમરાંગણમાં દેહને પરિત્યાગ કરે એવા દૃઢ નિશ્ચયવંત થઈ સ્થિર થયા. માથાના મુકટ-ફેંટા વગેરેમાં ચંપાના ફુલનાં છેગાં મહેલી, તથા હાથમાં શ્રેષ્ઠ વીરકંકણ પહેરી યુદ્ધમાં અડગ થયા. કેસરી કરવા માથે ચંપાનાં છેગાં ખોલવાં અને હાથે વીર કંકણ પહેરવાં એ ત્રણે નિશાનીઓ વીરેના વિજયની દૃઢ પ્રતિજ્ઞા સૂચવનારી છે. આ પ્રમાણે વરમંડળ વીર ગારયુક્ત લડાઈને મેદાનમાં ઘૂમવાની તૈયારી કરી જ્યારે પિતપતાના ઘરથી બહાર નિકળવા લાગ્યું ત્યારે તેઓ કલ્પવૃક્ષની પેઠે સુશોભિત અને તેઓની મારફત કાર્ય સિદ્ધ કરવાની ઈચ્છા કરનારને ઈચ્છિત સિદ્ધિ આપનારૂં જ જણાવા લાગ્યું. તે વેળાએ કંઈક લડવૈયાઓ પોતાની પૂજ્ય માતા પાસે મંગળ મુલાકાતથી મંદ પ્રાપ્ત કરવા ગયા, તે તે સમયે તે વીર પુત્રને વીર માતાઓ કહેવા લાગી કે –“અરે પુત્ર! તું તારા વીર પિતાને લજવીશ નહીં; કેમ કે તેમણે વીરતા સાથે લડાઈનાં મેદાનમાં ઉતરી કદિ પણ પાછી પાની કરી કે પીડ બતાવી નથી, તે વીર જનકને પુત્ર જે નિર્વીરતા બતાવે તે તેમને શરમાવું પડે, માટે તારા પિતાના જે અથવા એમનાથી પણ અધિક વીર નીવડી મારી કુખને ધન્યવાદ અપાવજે. જયવંત થઈ મહા દેખાડવું કે શત્રુ સામે લડતાં સ્વર્ગ સંપત્તિ મેળવવી એ જ વીર નરનું ઉત્તમ કર્તવ્ય છે; પણ જીવને હાલે કરી પીઠ બતાવી ભાગી આવવું કે વીરતા બતાવ્યા વગર કૂતરાને મહેતે મરવું એ હિચકારા બાયલાઓનું જ કામ છે ” કોઈ માતા બોલી કે– “બેટા ! તું મારું બિરૂદ ત્રિપુટીપદ ધારક કરજે, કેમકે હું વીર પિતાની પુત્રી છું, વીર પતિની પત્ની છું, હવે ફક્ત વીર પુત્રની માતા કહેવાઉં એટલે ત્રણ વીર બિરૂદ ધરનારી થાઉં કે જેથી ઉજવળ યશ થતાં જગતમાં આખી અણી રહેવાને લીધે ધન્યવાદને પાત્ર ગણાઉં. મતલબ એ કે જેને પિતા, પતિ ને પુત્ર વીર થઈ આખી અણીયે જીવન વ્યતીત કરે તે જ ઉજ્વળ યશ સહિત ધન્ય મનાય છે.” –૧ થી ૪ કઈ રમણી કહે હસિય તું સહિશ કિમ, સમર કરવાલ શર કુંત ધારા; નયણબાણે હો, તુજ વશ કિ, તિહાં ન ધીરજ રહ્યોકર વિચારા. ચં૦ ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy