SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ચોથે. ૧૮૧ જેને સમય બળવાન હોય તેના જ સંરક્ષણ તળે જવું એ હમેશનો-ન્યાય નિયમ છે; નહીં કે સમયની સામે થઈ કાર્ય સિદ્ધિ મેળવી હૈયાતી ભોગવી શકાય!” પ્રધાનનાં ન્યાય અને દીર્ઘ વિચારવંત હિતકર વચન સાંભળી સુજ્ઞ રાજા દૂતના કથન મુજબ કુહાડાને કાંધે મૂકી પગ પદલ જ્યાં ક્ષીપ્રા નદીને કાંઠે શ્રીપાળકુંવરની લશ્કરી છાવણી હતી ત્યાં જઈ પહોંચે. –૧ થી ૫ તે શ્રીપાલે છોડાવીયા, પહિરાવ્યો અલંકાર; સભા મધ્યે તેડો નૃપતિ, આપ્યું આસન સાર. તવ મયણા નિજ તાતને,-કહે બેલ જે મુજજ; કર્મવશે વર તુમે દીયો, તેહનું જુઓ એ ગુજજ. તવ વિસ્મિત માલવનૃપતિ, જામાઉલ પ્રણમંત; કહે ન સ્વામી તું ઓલખ્યો, ગિરૂઓ બહુ ગુણવંત. કહે શ્રીપાલ ન મારો, એવો એહ બનાવ; ગુરૂ દર્શિત નવપદ તણે, એ છે પ્રબલ પ્રભાવ. તે અચરિજ નિસુણી મિલ્યો, તિહાં વિવેક ઉદાર; સૌભાગ્યસુંદરી રૂપસુંદરી–પ્રમુખ સયલ પરીવાર ૧૦ સ્વજન વર્ગ સઘલે મિલ્યો, વરત્યો આણંદ પૂર; નાટક કારણ આદિસે, શ્રી શ્રીપાલ સતૂર. ૧૧ અર્થ – દૂત મારફત માલવપતિ આવ્યાની ખબર મળતાં જ ખભા પરથી કુહાડો દૂર કરાવી સુંદર વસ્ત્રાલંકાર પહેરાવી, અતિ આદર સહિત તેને શ્રીપાળજીએ પિતાની સભામાં તેડાવી, સુંદર આસન ઉપર બેસાર્યો. એ સમયે મયણાસુંદરી ઊભી થઈ મર્યાદા પૂર્વક સરલ ચિત્તથી બોલી-પૂજ્ય પિતાજી ! જે મેં ‘કર્મ કરે તે જ થાય છે એ બોલનો પક્ષ કર્યો હતો તે બોલ ઉપર મને જે વર આપ્યું હતું તે વરનું કર્મ પ્રતાપ વડે પ્રકાશિત થએલું પ્રારબ્ધ નિહાળે છે, જેથી “કર્મ કરે તે જ થાય છે” એ અમૂલ્ય જૈન સિદ્ધાંતની વિશેષ પ્રતીતિ મળતાં આપને અતિ આનંદ પ્રાપ્ત થાય અને મનના સંતાપ દર ટળે.” આવું વચન સાંભળતાં જ પ્રજાપાળ રાજાએ ધારીને જોયું તો તેને પિતાની પુત્રી મયણાસુંદરી સંબંધી ઓળખાણ પડી. જેથી વિમિત ચિત્તવંત બની ભદ્રાસન પર બિરાજેલા મહારાજા તરફ ધ્યાન પૂર્વક નિહાળ્યું તે પિતાના જમાઈ જ છે એવી પ્રતીતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy