SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાળ રાજાને રાસ. ' અર્થ-લશ્કરના પરિવાર સહિત સોપારક નગરના સમીપમાં તંબુ ખડા કરાવીને ત્યાં વિશ્રામ લીધો. ત્યારપછી શ્રીપાલ મહારાજા પ્રધાન પ્રત્યે કહેવા લાગ્યાઃ “કેમ આ સોપારકપુરનો રાજા કશી ભક્તિ બતાવીને ભેટ લઈ નમન કરવા આવતો નથી ? તેનું શું કારણ?” પ્રધાને અરજ કરી—“ ગુણવંત મહારાજા એ રાજાનો કશે પણ અપરાધ નથી. પરંતુ જે કારણને લીધે આપની સેવા બજાવી શકે નથી તે કારણ એ છે કે એ મહસેન ભલે રાજા છે, તેને તારા નામની રાણી છે, તેણીની કુખથી તિલકસુંદરી નામની એક પુત્રી પિદા થએલી છે કે જે ત્રણે ભુવનની અંદર તિલક જેવી ભાવંત બનેલ અને તે સ્વર્ગમાં વસનારી તિલોત્તમા અસરા વગેરેનું પણ તેજ હરે તેવી મહા સ્વરૂપવંત છે. રાજેન્દ્ર ! વિશેષ શું કહું, પણ પ્રમાણથી સિદ્ધ થાય છે કે એ તિલકસુંદરી તો અત્યંત ચતુર એવા કામદેવની સૃષ્ટિ છે, એટલે કામદેવની ઘડેલી છે. વેદ યુતિઓ ભણી ભણીને વેદિયા ઢેર જેવા થઈ ગયેલ હૃદયવાળા બ્રહ્માની રચાયેલી સૃષ્ટિની પિદાશવાળી સ્ત્રીઓ ઉપમા ઉપમાને કરીને સહિત છે એટલે કે એક જેવી બીજી જેડ મળી આવે તેવી છે, અને કલંકિત ઉપમાવાળીઓ છે; એટલે કે ચંદ્ર જેવા હોવાળી કમલપત્ર સરખી આંખોવાળી ગજ કુંભસ્થળ સરખાં સ્તનમંડળવાળી વગેરે દેવંત વસ્તુઓની ઉપમાવાળીઓ છે. મતલબ કે ચંદ્ર ક્ષીણ રોગવાળ કલંકિત છે, કમળપત્ર હીમથી બળનાર છે અને હાથીનાં કુંભસ્થળ અંકુશના પ્રહારવંત છે જેથી નિષ્કલંક નથી. પરંતુ તિલકસુંદરી નિષ્કલંક અને તેની બરોબરી કરે તેવી કોઈ ઉપમા આપી શકાય તેવી ડ નથી. જેથી નિપુણ કામદેવની રચેલી રષ્ટિ પિકીની છે. જે જડ બ્રહ્મા બધિર હૃદયનો છે તે કામદેવ નથી. કામદેવ તો સર્વથી સૂકમ પરમાણુવંત હોવાથી હાનકડાં–નાજુક મનમાં પિસી જઈને દરેક દેનાં ચિત્તને પણ હરણ કરી લે તે અચિંત્ય શક્તિમાન રેમમમાં પ્રસરનાર છે; જેથી તે ચતુર મદનની સૃષ્ટિ પિકી તિલકસુંદરી હોવાથી તેણીએ બ્રહ્માની રચેલી સૃષ્ટિના અંગેઅંગની દષવંત ઉપમાઓને જીતી લીધેલ છે એના લીધે તે ઉપમા રહિત-નિરૂપમ રૂપવંત છે. તે તિલકસુંદરીને દીર્ઘપૃણ જાતને ઝેરી સાપ કર્યો છે અને તે ઝેર ઉતારવા ઘણા ઘણા ઉપાય કર્યા તથા મણિ, મંત્ર, ઔષધ વગેરે પણ બહુ બહુ ઉપચાર કરવામાં આવ્યા, તો પણ તે એકેથી જરા પણ ગુણ માલમ પડશે નહીં. એથી દુઃખને લીધે પીડા તેણીના પિતા મહસેન આપની સેવા કરવા હાજર થઈ શક્યો નથી, પણ બીજું કશું ઘાતરૂપ કારણ અપ ગણશે જ નહીં. –૭ થી ૧૨ રાજા કહે કિહાં છે દાખવો, તો કીજે તસ ઉપગાર રે; વિ. એમ કહી તુરગારૂઢ તિણે, દીઠા જતા બહુ નરનાર રે. વિ૦ લી. ૧૩ સમશાને લેઈ જાતી જાણી, તિહાં પહોતો તે નરનાહ રે; વિ કહે દાખ મુખ હું સઝ કરૂં, મૂર્શિતને મ દીયે દાહ રે. વિ૦ લી. ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy