SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ત્રીજે. ૧૫૯ રહસ્યને જાણકાર જે પુરુષ હોય તેને જ વરે. પરંતુ તે સિવાયને અજાણ વર ન વરે; કેમકે એક જાણકાર હોય અને બીજું અજાણ હોય તેવાને મેલાપ થયે તે કેળ ને કેથેરના ઝાડને સંયોગ થવા સરખે દુઃખદાયી મેલાપ થઈ પડે છે, માટે જ અસાધ્ય કે ભયંકર વ્યાધિ તથા મરણ, દારિદ્ય અને વનવાસ એએના દુઃખ કરતાં પણ નઠારા મિત્રોનો સહવાસ બહુ જ દુઃખ દેનારે શાસ્ત્રમાં કહેલ છે; કેમકે વ્યાધિ દારિદ્રય અને વનવાસ એક જ ભવ દુઃખ દે છે, પરંતુ નડારા મિત્રને સહવાસ નઠારી બુદ્ધિ કરનાર હોવાથી જન્મ જન્મ દુઃખ આપનાર નીવડે છે, માટે સેનાની વીંટીમાં હીરા-માણેક જડાય તે જ ગ્ય છે, પણ અકીક જડવો મેગ્ય નથી તેમજ જે પુરુષ ઉપરથી શરદના મેઘની પેઠે ફેકટ ઘટાટોપ દેખાડી ગાજનારો જ હોય એટલે ઉપરથી રૂપાળો હોય છતાં અંદર રહસ્ય વિનાને હોય તે પુરુષ પણ આપણે ન વો. પરંતુ પરીક્ષા કરીને જ વર વર કે જેથી પાછળથી કજોડાને કર્મ કરીને મેલાપ ન થઈ જાય. આવું શૃંગારસુંદરીનું બોલવું સાંભળી પાંચ સખીયે પિકી પહેલી પંડિતા નામની સખી બેલી કે “જે પુરુષ કવિત્ત સાંભળીને હામાના ચિત્તને ભાવ સમજી જાય તે ચતુર પુરુષ ગણાય છે. તેમ ફક્ત એક જ પદ રચી તેમાં પોતપોતાના મનને ભાવ સમાવી સમશ્યા પદ બનાવી સંભળાવતાં બાકીનાં ત્રણ પદ તે જ ભાવ પૂર્ણ તૈયાર કરી આપશે, તે સમજાઈ જ જશે કે તે સમસ્યા પૂરક સ્વધર્મી છે કે વિધર્મી, માટે પોતપોતાની મરજી મુજબ જૈનધર્મના રહસ્યમય દેહરાનું ચોથું ચરણ રહસ્યમય બનાવી આવનાર પુરુષને કહી બતાવે, ને ઉત્તરમાં જે ત્રણ પદ બનાવી તે પૂર્ણ કરે તે ધ્યાનમાં રાખે. એટલે જે આપણા મનની ધારેલી વાતનું રહસ્ય કહી બતાવે છે તે જ આપણે વર થશે.” આવી રીતનું સખીનું વચન સાંભળીને ગારસુંદરી બોલી કે જે મારા મનના વિચાર વાળું સમસ્યાનું પદ સાંભળી બાકીનાં ત્રણ ચરણ અર્થસંગતિવાળાં બનાવી સંભળાવશે તેને હું અવશ્ય વરીશ ( આ પ્રમાણે બીજી સખીઓએ પણ પ્રતિજ્ઞા કરી. ) જ્યારે આ પ્રતિજ્ઞા સંબંધીની વાત જગતની અંદર જાહેરમાં આવી ત્યારે ઘણાક બુદ્ધિવાન પંડિત પુરૂ કે જે પાદપૂર્તિને મર્મ ભાવ ભેદ સમજાવી પૂર્ણ કરી શકે તેવા હતા; તેઓ એકઠા થવા લાગ્યા અને તે તે પદ સાંભળીને ઘણી ઘણુ બુદ્ધિને કેળવવા લાગ્યા તે પણ જેમ પવનને પ્રબળ વેગ છતાં પણ ડુંગર ન ડાલી શકે તેમ બુદ્ધિની ઘણી પ્રબળ સત્તા છતાં કશી પણ ત્યાં મતિ ચાલી શકી જ નહીં. મતલબ કે કુમારિકાઓની વિચારણાને મળતા ભાવવાળાં એક પણ પદ પૂર્ણ કરી શક્યા જ નહીં. આ પ્રમાણે પાંચ સખીઓ સહિત રાજકુમારી મહત્તા ભરી સમસ્યા કરીને વર થવા આવનારના ચિત્તની પરીક્ષા કરે છે; પરંતુ સાંભળનારા પંડિત પુરુષે કહે છે કે-એ સમસ્યા અમે કેવી રીતે પૂરી કરી શકીએ ! ! એ પરાયા મનરૂપી ગહન-ઉંડા કહને તાગ-માપ તે શી રીતે લઈ શકીયે ! ” –૧ થી ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy