SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ શ્રીપાળ રાજાને રાસ. તવ ઉતપાત સવે ટલ્યા રે, વહાણ ચાલ્યાં જાય રે; ચિંતા ભાંગી સર્વની રે, વાયા વાય સુવાય રે. જીવ. ૨૯ અર્થ –આ પ્રમાણે વિચાર નિશ્ચય કરી એક વખતે તે બેઉ સ્ત્રીઓએ દરિઆમાં પડતું મૂકવાની તૈયારી કરી. તે વખતે ધર્મને જય અને પાપનો ક્ષય થવા ત્યાં એ અતિ વિષમ ઉત્પાત થયે. એટલે કે–તેફાની પવન વાવ શરૂ થતાં દરિયાનું પાણી ઉછળવા લાગ્યું. તોફાની મોજા ઉપરાઉપરી આવવાથી વહાણનું ચાલવું જોખમ ભરેલું થઈ પડ્યું. ભયંકર વર્ષાદની ગર્જના થઈ આવી. વિજળી મેર ચમકવા લાગી અને હાથે હાથ પણ ન સૂઝે તેવું ઘોર અંધારું થઈ આવ્યું. આમ થવાથી વહાણના કુવાથભે કડકડાટ શબ્દ કરવા લાગ્યા તથા સઢ, દેર ઉડી જવા લાગ્યાં. આ ભયંકર સંયોગ થતાં વળી વિશેષ ભયકારી બનાવ એ અન્ય કેન્ડમડમ ડમરૂ ડમકતે, હુંકાર શબ્દ બેલતો અને હાથમાં નાગી તરવાર ચમકાવતા ક્ષેત્રપાળ આવી પહોંચ્યા, તથા બાવન વીરાના પરિવાર સહિત મણિભદ્ર, પૂર્ણભદ્ર કપિલ ને પિંગળ એ ચારે ચતુર પ્રતિહાર દેવ મુગર વગેરે તરેહ તરેહના હથિયાર તથા કુમુદ, અંજન, વામન ને પુષ્પદંત જેના હાથમાં છે એવા નામે ચાર દંડે હાથમાં ધારણ કરી છડીદારની પેઠે આગળ દોડતા હતા. તેઓની પાછળ સિંહ ઉપર સવારી સહિત, હાથમાં જાજવલ્યમાન ચક્ર ભમાવતાં બહુ દેવ દેવીઓના પરિવાર સાથે ચકકેશ્વરી દેવી પધાર્યા. તે સાથે જ ક્ષેત્રપાળે કુબુદ્ધિ મિત્ર કે જેણે ધવળશેઠને કુમતિ આપવામાં પૂરી મદદ આપી હતી તેને પકડી પાડી તેના શરીરના ટુકડે ટુકડા કરી યમપુરે પહોંચાડી દીધે. મિત્રના બૂરા હાલ જેઈ ધવળશેઠ હીને જેથી પિતાને બચાવ કરવા સતીને શરણે જઈને સંતાઈ પેઠે. તેને પશુની પેઠે થરથરે દેવી શ્રી ચકકેશ્વરીએ દીઠે, એટલે કહેવા લાગ્યાં કે-દુષ્ટ પાપીણ! જા, અત્યારે તે તને સતીશરણ પ્રતાપને લીધે જીવતો મૂકું છું, પરંતુ કહું છું તે યાદ રાખજે કે જે તું હવે આ સતી સ્ત્રીઓને હેરાન કરીશ તે આખર જીવથી જઈશ.” એટલું બોલી દેવીએ સતી પ્રતે કહ્યું—“વત્સ ! શા માટે ચિંતા કરે છે ? નિશ્ચિત રહો. તમારા પ્રિયતમને ફ્રેમ-કુશળ છે. તમારે નાથ કોંકણ દેશના પાયતખ્ત ઠાણાપુરની અંદર મહારાજ વસુપાળ રાજાના મહેલમાં રાજકન્યા સાથે રાજઋદ્ધિ ભગવે છે તે તમને આજથી પૂરે એક મહિને મળશે.” એટલું કહી દેવીએ તે બેઉ સ્ત્રીઓના કંઠમાં અમૂલ્ય અને અનુપમ સુંગધવંત મનહર ફૂલની માળા નાખીને તેને મહિમા કહ્યો કે-“પુત્રીઓ ! સાંભળે આ માળાઓને રસાળ મહિમા છે. એટલે કે–આ માળાઓથી શીળરત્નનું રક્ષણ થશે. દિવસે દિવસે તમને સરસ સુંગધી આપશે અને કોઈ તમારી હામે ખરાબ નજરથી જેશે તે તુરત અંધ જ થઈ જશે” વગેરે કહીને દેવી શ્રી ચકકેશ્વરીજી આકાશપંથે દેવોના પરિવાર સહિત પોતાના સ્થાનકે પધાર્યા. એટલે તે સર્વે ઉત્પાત દૂર થઈ ગયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy