SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાળ રાજાને રાસ. અને પરભવમાં પાર વગરની લીલાલહેર પ્રાપ્ત થાય; તમામ દુઃખ દુર્ભાગ્ય નાશ પામે અને ડગલેને પગલે આનંદકારી ઋદ્ધિ-સાહેબી જેમ એ નવપદજીના સત્ય આરાધન વડે આ જગતની અંદર શ્રીપાલ કુંવરને પ્રાપ્ત થઈ, તેમ સર્વ આરાધકને પ્રાપ્ત થાય.” આવું સાંભળી તમામ શ્રોતાગણએ પ્રેમ સહિત પૂછ્યું કે-“હે પ્રભુ! તે શ્રીપાળ કુંવરજી કોણ?” આવી ઈચ્છા થવાથી ઉપકારી મુનિવરજીએ શ્રીપાળ કુંવરનું ઠેઠથી માંડીને રસીલું ચરિત્ર કહી સંભળાવી વિશેષમાં કહ્યું કે–“તે જ શ્રીપળકુંવર તમારા પ્રબળ પુર્યોદયથી અહિં આવેલ છે અને આ જિનમંદિરનાં બારણાં ઉઘાડેલાં છે.” આવું સાંભળતાં જ રાજા તથા અન્ય સર્વ અને હર્ષવંત થઈ અહોભાગ્ય માનવા લાગ્યાં. મુનિવરજી તે એટલું પ્રકાશી પુનઃ આકાશ માર્ગે પધાર્યા. એટલે સર્વજને ઊભા થઈ ઉંચું મોં કરી તેમના ચરણકમળ વાંદવા લાગ્યાં, વિનયવિજયજી કહે છે કે આ શ્રીપાલ રાસની બીજા ખંડની સાતમી ઢાળ આપણને એ બધ આપે છે કે–હે ભવિજન તમે સર્વ ઉત્તમ ગુણોના ઘરરૂપ શ્રી સિદ્ધચકજીની ભકિત કરે. —૬ થી ૧૭ દોહા છંદ બેઠા જિનહર બારણે, મુખમંડપ સહુ કોય; કુંવર નિરખી રાયનું, હૈડું હરષિત હોય. ઘન રિસહસર કલ્પતરૂ, ધન ચકકેસરી દેવી; જાસ પસાયે મુજ ફલ્યાં, મનવાંછિત તતખેવી. તિલક વધાવી કુંવરને, દેઈ શ્રીફલ પાન; સજજન સાખેં પ્રેમેં કરી, દીધું કન્યાદાન. શ્રીફલ ફેફલ કુંવરને, દેઈ ઘણાં તબેલ; તિલક કરીને છાંટણાં, કીધાં કેસર ઘોલ. નિજ ડેરે કંવર ગયા, મંદિર પહેતા રાય; બે ઠામે વિવાહના, ઘણા મહોત્સવ થાય. વડી વડારણ દે વડી, પાપડ ઘણું વણાય; કેળવિયે પકવાન્સ બહ, મંગલ ધવલ ગવાય. વાધા સીવે નવનવા, દરજી બેઠા બાર; જડિયા મણિ માણિક જડે, ઘાટ ઘડે સોનાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy