SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ કૂતરા તરીકે ઉત્પન્ન થઈ. તેના માલિકે આ કૂતરો પણ ગુણધરકુમારને જ ભેટ આપ્યો. એકવાર હું મહેલના ગવાક્ષમાં ચડ્યો. ત્યાં બારીના એક છિદ્રમાંથી ચિત્રશાળામાં કૂબડાની સાથે રતિક્રીડા કરતી નયનાવલીને મેં જોઈ. મને જાતિસ્મરણ જ્ઞાન થયું. હું ક્રોધથી સળગી ઊઠેલે. ત્યાં જઈ ચાંચની અણીથી તેના શરીર ઉપર ઘા કરવા લાગે. તરત જ મારી પૂર્વભવની પ્રિયાએ કૂબડાના લેહમય દંડથી મને હ . હું દાદર પરથી ગબડ્યો, કે તરત જ ત્યાં જ રહેલા પૂર્વભવની માતાને જીવ કૂતરાએ આવી મને પકડ્યો. જુગાર ખેલતા ગુણધર રાજાએ કૂતરાને ઘા કર્યો, તેથી લેહી વમતા કૂતરાએ મને છોડી દીધું. કંઠે આવી ગયેલા પ્રાણવાળા અમે બંને ઢળી પડ્યા અને મરી ગયા. ગુણધર રાજાએ હુકમ કર્યો કે પિતાજીને તથા માતાજીને ચંદનનાં કાષ્ઠોથી અગ્નિ-સંસ્કાર કર્યો હતો તેમ આ બંનેને સંસ્કાર વિધિ કરો. આ રીતે અમે બંને તિર્યંચ નિમાં દુખી થઈ મર્યા. ૩ જો ભવ–નેળિયે અને સર્ષ - મોરના ભવમાંથી હું નળિયા તરીકે અવતર્યો. ત્યાં ગર્ભમાં નરકની કુંભીપાક કરતા અધિક વેદના સહન કરી. મારી માતાના સ્તનમાં દૂધ આવતું બંધ થયું. હું ભૂખથી ગોખરૂના કાંટા ખાવા લાગ્યો. આ બાજુ મારી પૂર્વભવની માતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy