SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ સર્વજ્ઞ ભગવંતનાં વચનો જ ગાવા તથા પ્રશંસા કરવાં અને એથી સમ્યકત્વ સહિતનાં જ દાન. શીલ, તપ અને ભાવની પ્રશંસા કરવી. અનુમોદના કરવી. ૩ મિથ્યાત્વ, અવિરતિ, કષાય, અને અશુભ યોગેની પ્રવૃત્તિઓ તજવી. ૪ સમ્યગ દર્શન, સમ્યજ્ઞાન. અને સમ્યક ચારિત્ર આચરવું. ઉપરોક્ત ચારે વસ્તુઓને અમલ થાય તે માટે સમરાદિત્ય કથા જૈન ધર્મના કથાનુયોગમાંથી સૌથી શ્રેષ્ઠ પ્રથમ નંબરે સાબિત થાય છે. આ કથા યાકિની મહત્તરાના ધર્મસનું આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજા દ્વારા આજથી લગભગ બાર વર્ષ પૂર્વે રચાઈ હતી. પૂર્વાવસ્થામાં તેઓ હરિભદ્ર પુતિ રામાન્ય બ્રાહ્મણ કુળમાં જમ્યા હતા. તેઓ પ્રકાંડ પંડિત હતા. તેથી શાસ્ત્રને કોઈપણ વચનને ન સમજુ અને કોઈ સમજાવનાર મળે તો તેને શિષ્ય બનું આવી તેઓની પ્રતિજ્ઞા હતી. એટલે તેમાં જ્ઞાન સાથે અદભૂત નમ્રતા પણ હતી. - એકવાર યાકિની મહત્તા નામના સાવી સ્વાધ્યાય કરતા પ્રાકૃત ભાષાને જ સુi nai “મામને' કલેક બોલતાં હતાં, તે અરસામાં હરિભદ્ર પુરોહિતે ત્યાંથી પસાર થતા એ લેક સાંભળે. આ મહા પુરોહિતે તેને અર્થ સમજાવવા સાધ્વીજીને વિનંતિ કરી. સાધ્વીજીએ આ રીતે સમજાવવાને અમારે આચાર નથી એમ કહી ગુરુ મહારાજ પાસે સમજવા કહ્યું. પિતાની પ્રતિજ્ઞા પાલનમાં દઢ હરિભદ્ર ગુરુ મહારાજ પાસે જઈ તેનું રહસ્ય સમજી કૃતજ્ઞભાવે દીક્ષા લીધી. સાધ્વીજીને ઉપકાર યાદ કરી પિતાનું નામ “યાકિની મહત્તા સૂનુ હરિભદ્ર નામ રાખ્યું. ગુરુ મહારાજ પાસે વિધિપૂર્વક અભ્યાસ કરી ગીતાર્થ થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy