SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ દૃષ્ટાંતને ઉપનય :– દુ:ખી મુસાફર તે આપણે પિતાને જ જીવ. અટવીમાં ભૂલ પડે તે સંસારની ચાર ગતિ, હાથી પાછળ આવ્યો તે મૃત્યુ સમજવું. રાક્ષસી તે વૃદ્ધાવસ્થા જાણવી. ઊંચું વડનું ઝાડ તે મોક્ષ જ્યાં મરણરૂપ હાથીને બિલકુલ ભય નથી. કૂ તે મનુષ્ય ગતિ. સર્પે તે ચાર કષાયો. જે વડવાઈએ લટકી રહ્યો છે, તે જીવનું જીવતર, જેને બે ઉંદરે કાપી રહ્યા છે, તે સુદ અને વદ પક્ષ નિરંતર જીવનું આયુષ્ય ઘટાડી રહ્યા છે. જે મધમાખે કરડે છે, તે વિવિધ પ્રકારની વ્યાધિઓ. જે અજગર છે, તે નરક. મધુબિંદુ સમાન તુચ્છ ભોગે. આવાં સંકટમાં પડેલે કર્યો ડાહ્યો પુરૂષ તે ભેગવવા તૈયાર થાય! કુસુમાવલીને સ્વપ્ન અને પુત્ર જન્મ હવે અગ્નિશર્મા તાપસને જીવ વિદ્યુતકુમાર દેવકમાંથી ચ્યવી સંસારમાં રખડી પૂર્વ કર્મની વાસનાના દેષથી કુસુમાવલીની કુક્ષિમાં આવ્યું અને રાણીને એક ખરાબ સ્વપ્ન આવ્યું. તેના પેટમાં એક સાપે પ્રવેશ કર્યો. તે સાપે તેના પતિ સિંહકુમારને સિંહાસન પરથી પાડી નાખે. તેને ચિતા થઈ કે મારા ઉદરમાં રહેલ ગર્ભ કોઈ અનિષ્ટ કરશે. કુસુમાવલી રાણીને દેહલ જાગે કે “મારા પતિનાં આંતરડાં ખાઉં.” આ દેહલે અશુભ છે તેથી રાણીએ ગર્ભપાત કરાવવા પ્રયત્ન કર્યો પણ નિકાચિત કર્મના દોષથી ગર્ભ પડયે નહિ. રાજાને ખબર પડતાં તે દેહલે પૂરો કરવા મંત્રી મતિસાગરની સલાહ લીધી. મંત્રીએ રાજાના પેટ ઉપર કૃત્રિમ આંતરડાં ગોઠવી તે રાણીને આપ્યાં. રાણીએ પ્રસૂતિ થયે પુત્રને કઈ એકાંત સ્થાને મૂકી દેવા જણાવ્યું. દાસી લઈ જતી હતી, એટલે રાજાએ પૂછયું કે આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy