SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ પાસેથી બધું દ્રવ્ય હરવા ધનદેવે સ્વસ્તી નગરીમાં વિષમય લાડુ તૈયાર કર્યા, પણ કમનસીબે એ લાડુ પિતાના ભાગમાં આવ્યું અને તે ખાઈને ધનદેવ પિતે જ મરણ પામે. - હવે આ નગરમાં દેવસેન નામે એક મુનિ આવ્યા હતા. તેની પાસે અનંગદેવે દીક્ષા લીધી. અને કાળધર્મ પામી પ્રાણુત નામના ૧દેવલોકમાં જમ્યા. પેલે અનહકનો જીવ સાપ તરીકે પેદા થયે. અનંગદેવ પછીથી હસ્તિનાપુરમાં વીરદેવ નામના પુત્ર તરીકે એક ગૃહસ્થને ત્યાં જન્મે. અનહકને જીવ પણ તે જ નગરમાં દ્રોણક નામે પુત્ર રૂપે પેદા થ. બંને જણાએ કલાચાર્ય પાસે રહી વિદ્યાભ્યાસ કર્યો. બંને મિત્ર થયા. પણ વીરદેવે માનભંગ નામના ગુરૂ પાસે ભાવથી શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. અને દ્રોણકે કપટથી ધર્મ સ્વીકાર્યો પછી વીરદેવનું ધન પડાવવા પેલા દ્રોણકે એક મહેલમાં પડી જાય તે ઝરૂખે રચાવ્યું. મહેલમાં ભેજન કર્યા પછી બ્રમથી દ્રોણક બનાવટી ઝરૂખામાં જવાથી પડીને મરી ગયે. વીરદેવે વૈરાગ્ય આવતાં દીક્ષા લીધી. અને તે મરીને દેવ થયે અને દ્રોણક નારકીમાં ગયે. પછી દીક્ષિત થયેલ વીરદેવને જન્મ ચંપાવાસ નગરમાં પૂર્ણભદ્ર નામે શ્રાવક પુત્ર રૂપે થયો અને તે પાછળથી ૧૩ અમરગુપ્ત નામે ઓળખાવા લાગ્યા. પેલે દ્રોણક સ્વયંભૂરમણ સાગરમાં મત્સ્ય તરીકે અવતર્યો અને પછી તે ધુમપ્રભા નરકમાં ગયે. ત્યાર પછી તે અનેક જન્મ કરી તે જ નગરમાં નંદયત્તી નામે પુત્રીના રૂપે જન્મે. તે નંદયતી સાથે અમરગુપ્તનાં લગ્ન થયાં. નંદન્તી કપટી સ્ત્રી હતી એટલે તેણે પિતાના પતિ અમરગુપ્તને વિષ આપવાને વિચાર કર્યો. ઘરમાં વિષ સંતાડતી હતી ત્યારે તેનું સર્પદંશથી મૃત્યુ થયું. સ્ત્રીના મરણથી વૈરાગ્ય પામેલ અમર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy