SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણસેન રાજાને વૈરાગ્ય ભાવના-દીક્ષા નિર્ણય તે એક દિવસે રાજા પ્રાસાદના ગવાક્ષમાં હતા, ત્યારે એક મૃતકને ડિડિમ શબ્દ સંભળાવે. મૃત્યુ પામેલા માણસને ચાર માણસે લઈ જતા હતા. સગાં-વહાલાંઓ આક્રંદ કરતાં હતાં. આ જોઈ રાજાને ચિંતા થઈ કે આપણે પણ છેવટે મરવાના જ છીએ! તેઓને જ ધન્ય છે કે જેઓ ઘર-કુટુંબવાસ છેડી સાધુપણું સ્વીકારે છે. હું પણ હવે કલ્પવૃક્ષ સરખા વિજયસેન આચાર્ય પાસે મહાપુરૂષોએ સ્વીકારેલ એની દીક્ષા લઈશ. એ વિચારી તેણે મંત્રીઓને બેલાવી પિતાને અભિપ્રાય જણાવ્યું. જિન વચનને સાર પામેલા હોવાથી મંત્રીઓએ કહ્યું, હે દેવ ! “સળગેલી આગમાં ચારે બાજુથી ઘેરાયેલાને બહાર નીકળતાં કેણ રોકે! આ સંસાર દુઃખરૂપ અગ્નિથી સળગી રહેલ છે. તેથી આપે કરેલ નિશ્ચય અને માન્ય છે. અમે આપના મરણને રોકવા સમર્થ નથી. તે સાંભળી રાજાએ ઘેષણ પૂર્વક દાન દેવરાવ્યું, જિન મંદિરમાં અષ્ટાહ્નિકા મહોત્સવ કરાવ્યા, ચન્દ્રસેન નામના પુત્રને રાજ્ય આપ્યું. ભાવથી દીક્ષા અંગીકાર કરી, સવારે નીકળી વિજયસેન આચાર્ય પાસે જઈ દીક્ષા લઈશ એમ વિચારી આખી રાત્રિમાં કાઉસગ્નમાં રહ્યા. અગ્નિશમ–દેવે કરેલ ઉપસર્ગ–અંતિમ આરાધના અગ્નિશર્મા તાપસ કરેલ નિયાણુથી કાળ પામી વિવુકુમાર દેવલોકમાં પલ્યોપમના આયુષ્યવાળે દેવ થયે. ઉપગ મૂકતાં પૂર્વ ભવ જાણ્યા અને ગુણસેન ઉપર કપાયમાન થયે. ક્રોધથી તે દેવે નારકીના અગ્નિ સરખી ભડભડ કરતી જવાળાઓ જેવી અતિ ભયંકર તપેલી ધૂળની વૃષ્ટિ વિકુવી. તે અગ્નિ વૃષ્ટિથી દાઝવા છતાં મહારાજાએ અનાકુલપણે ધર્મ વિષે ભાવિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy