SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ મમત્ત હાથથી છૂદાઈ મરીને આ જ બેબીની પુત્રીપણે ઉત્પન્ન થશે. યુવાન થતાં દરિદ્ર સાથે લગ્ન થશે. પ્રસૂતિ સમયે જ મહા વેદનાથી મરણ પામી પોતાની માતાની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થશે. બાલ્ય વયમાં જ બેબીને શત્રુ તે પુત્રને ગળે મેટી શિલા બાંધી જળાશયમાં ડુબાડશે. મદ-અભિમાનથી બાંધેલા કર્મને આ રીતે તારે મિત્ર વિપાક ભગવશે. આ ભવ્ય અને સિદ્ધિગામી , પણ હજુ સમ્યકત્વ પામ્યું નથી. વચ્ચે મેં પૂછ્યું કે જળમાં ડૂબીને તે ક્યાં ઉત્પન્ન થશે? અને કયારે સમ્યકત્વ અને મુક્તિ પામશે. ભગવંતે કહ્યું ઃ સાંભળ, જળમાં મરણ પામી તે વાનવ્યંતર દેવમાં ઉત્પન્ન થશે. તે જ જન્મમાં આનંદ નામના તીર્થકર પાસે સમ્યકત્વ પામશે. તે પછી ચારે ગતિમાં સંખ્યાતા ભો પરિભ્રમણ કરશે. છેવટે આ જ ગંધાર દેશને રાજા થઈ અમરતેજ નામના ગણિવર પાસે દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી મુક્તિ મેળવશે આ સાંભળી મને વૈરાગ્ય ઉત્પન્ન થયે, માતાપિતાની રજા લઈ ઈન્દ્રદત્ત નામે આચાર્ય પાસે મેં દીક્ષા સ્વીકારી છે. વિજયસેન આચાર્યે કહ્યું કે, આ મારા વૈરાગ્યનું કારણ છે. ગુણસેન રાજાને શ્રાવકધર્મની પ્રાપ્તિ ગુરૂ મહારાજે ફરમાવેલ વૈરાગ્યનું કારણ સાંભળતાં ગુણ સેન રાજા કહે, “હે ભગવંત! હું ધન્ય છું કે સંસારરૂપ કેદખાનામાંથી બહાર કાઢનાર વચને મને સાંભળવા મળ્યાં. તે હવે મારે જે કરવા ગ્ય હોય તે ફરમાવે અથવા મને અણુવ્રતે આપ. ગુરૂ મહારાજે તેને વિધિપૂર્વક અણુવ્રતે આપ્યાં. રાજાએ વંદન કરી નગરમાં પ્રવેશ કર્યો. પછી સવાર-સાંજ ઉભયકાલ ગુરૂ–દર્શન અને વાણી શ્રવણ કરતાં એક માસ પસાર કર્યો. માસ ક૯૫ પૂર્ણ થતાં વિજયસેન આચાર્યે વિહાર કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy