SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ તાપસે કરેલ નિયાણું હવે એ ગુણસેન રાજાને પિતાનો દુશ્મન માનવા લાગ્યા. અને તેથી એણે ઘેર નિયાણું બાંધ્યું. એણે સંકલ્પ કર્યો કે મારા કરેલ તપના ફળરૂપે હું આ રાજાને ભવોભવ વધ કરીશ. રાજાના વિનાશ માટે ફરીથી મારો જન્મ થજો એવું એણે ઇછ્યું. આમ નિયાણું કરી એણે મા ખમણ દ્વારા સાધેલ ફળ ક્ષણવારમાં ગુમાવ્યું. પારણું ન થવાથી એ પિતાની ભૂખ પર વિજય પ્રાપ્ત ન કરી શક્યો. અને એ કષાયમાં ડૂબે. એની ધર્મશ્રદ્ધા ડગી ગઈ. એનામાં જાગેલ વૈર ભાવનાએ એના તપને બાળી નાખે. એનું શમુખી અધઃપતન થયું. તપવનની એક શિલા પર બેસી એ આર્તધ્યાનમાં પડ્યો. અને હાથમાં આવેલું ચિતામણિ રન ગુમાવ્યું. વેર લેવાના હેતુથી હવે એણે માવજજીવ ઉપવાસ ત્રત ધારણ કર્યું. તાપસ દ્વારા આશ્રમના કુલપતિને ખબર પડી કે અનિશર્માનું રાજાને ત્યાં પારણું થઈ શક્યું નથી એટલે એમણે અગ્નિશમને સમતા રાખી, ગુસ્સો ન કરવાને ઉપદેશ આપ્યા. પારણું ન થવામાં પણ પૂર્વનાં કોઈ કર્મ જવાબદાર હતાં એમ જણાવ્યું. રાજકુળમાં પુત્રજન્મના ઉત્સવને લીધે પારણું માટે આવેલ તાપસ અગ્નિશમને પાછું જવું પડ્યું તે જાણે રાજાને ખૂબ પસ્તા થયે. તે પિતાને દોષિત સમજવા લાગ્યા. ગુણસેન રાજા મનમાં ને મનમાં લજજા અને ગ્લાનિ અનુભવવા લાગ્યા. તેથી તેણે પિતાના એક વિશ્વાસુ સોમદેવ નામના પુરોહિતને તપોવનમાં પરિસ્થિતિ જાણવા મોકલ્યા. ત્યાં પુરોહિત અગ્નિશમને શિલા પર બેસીને આર્તધ્યાન કરતે જે. એના મુખ પર સમતાને બદલે કેને કષાય છવાયેલું જોવામાં આવ્યો. પુરોહિતે Jain Education International Tona! For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy