SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ ત્રણે વર્ગ ધર્મ–અર્થ અને મોક્ષને સાધી આપનાર છે. કામશાસ્ત્ર જાણકાર પત્નીના ચિત્તની પ્રસન્નતા મેળવે છે. અને તેનું રક્ષણ કરીને શુદ્ધ પુત્ર મેળવે છે. અને તેથી તે ધર્મપુરુષાર્થને અધિકારી થાય છે. જે તેનાથી વિપરીત પણે વર્તે તે પત્નીના ચિત્તની રક્ષા ન કરી શકે. એટલે અશુદ્ધ પુત્ર થવાથી નરકગતિમાં જવું પડે. માટે ધર્મ-અર્થ અને મોક્ષરૂપ ત્રણેને સાધી આપનાર કામશાસ્ત્ર છે. લલિતાંગ કહે, વાત બરાબર છે, તેમાં કોઈ સંદેહ નથી. એટલામાં અશોકે કહ્યું, “સમરાદિત્યકુમાર કહે તે પ્રમાણ કામાં કુમારને પૂછયું કે, કૃપા કરીને કહો “આ વાત બરાબર છે?” સમરાદિત્ય કુમારે બતાવેલી કામશાસ્ત્રની અધમતા કુમારે કહ્યું, તમે નારાજ ન થશે. આ વિષયમાં સત્ય અને સાચે માર્ગ સાંભળે. પરમાર્થ થી કામશાસ્ત્ર બનાવનાર અને સાંભળનાર અજ્ઞાની છે. કારણ કે, કામે એ સ્વભાવથી જ ખરાબ અને નિર્ગુણ છે. ભેગો વિષની ઉપમાવાળા અને પરિણામે દુર્ગતિમાં લઈ જનારા છે. દુષ્ટ ચેષ્ટાવાળાઓને જ કામ પ્રિય હોય છે. તેઓ પરમાર્થથી સ્વ-પરનું હિત કે અહિત જાણી શકતા નથી. ભાવિમાં મારું શું થશે! તે ચિતવતા નથી. અશુચિ-દુર્ગધી-મલિન-બીભત્સ એવા વિષ્ટા-મૂત્ર-રક્ત વગેરેથી પૂર્ણ મહિલામાં મનહર બુદ્ધિ કરનારા અશુચિ-સ્થાનમાં જેમ ડુક્કર-ભૂંડે પ્રવતે તેમ પ્રવર્તે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy