SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ તે પિતાને ધન્ય માનવા લાગ્યા. તરત જ ગુરુજીને એણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ધ્યાન પૂરું થયું એટલે ગુરુજીએ અગ્નિશર્માને આગમનનું કારણ પૂછ્યું. ગુરુજીની મીઠી, મૃદુવાણી સાંભળી અગ્નિશમને એક પ્રકારની શાતા વળી. અગ્નિશર્માની વિપદ્ કથા સાંભળી ગુરુ આર્જવકૌડિન્ય એને ધીરજ આપતાં કહ્યું કે “વત્સ, હશે. રાજપુત્ર છે ને? એને દેવ નથી. પણ તારા કઈ પૂર્વજન્મના કર્મને ઉદય આ અવહેલનાનું નિમિત્ત છે એમ માન. અને હવે ધર્મનું શરણ લે. આ તપોવન સૌ કઈ દુખિયાને માટે શરણસ્થાન છે. આ આશ્રમમાં તને શાંતિ મળશે. તું સુખેથી અહીં રહેજે.” ગુરુજીના આશ્વાસનથી અગ્નિશમન વિષાદ ઊડી ગયે. એણે ગુરુજી પાસે તાપસ વ્રત મેળવવાની ઈચ્છા પ્રગટ કરી. એટલે ગુરુજીએ એને તાપસ જીવનના આચાર વિચાર ઉત્સાહ પૂર્વક શીખવવા માંડ્યા. તાપસ જીવનમાં ધીરે ધીરે પ્રગતિ થવા લોગી અને પછી તે એણે એક વ્રત લીધું. એ સાચે જ ભીષ્મ પ્રતિજ્ઞા જેવું વ્રત હતું “હું આજીવન મહિના મહિનાના ઉપવાસ કરીશ.” મહિને પૂરે થતાં એક જ ઘરે પારણું કરી બીજે દિવસથી ફરી ઉપવાસ શરૂ કરીશ. હવે અગ્નિશર્માનો અભિગ્રહ કાંઈ મામૂલી કોટિને ન હતે. તે તે પારણું માટે ફક્ત કોઈ એક ઘરે જતો અને તે પણ એક જ વાર. જીવનપર્યત આવી કડક પ્રતિજ્ઞા એને પાળવાની હતી. કેવું આકરું મા ખમણનું વ્રત ! દીર્ઘ જીવન એટલે એનાં મા ખમણ પણ કેટલાં બધાં થાય! જીવન પણ ઝડપૂર્વ વર્ષનું. આ ભીષ્મવ્રત કરવા અગ્નિશમ આશ્રમમાં એકાંતમાં પદ્માસને બેસી ચિત્તની એકાગ્રતા સાધી ધ્યાન કરવા લાગ્યા. તેથી એની ખ્યાતિ મેર ફેલાવા લાગી. લોકોનાં ટોળાં આ મહાત્માનાં દર્શન માટે ઊપડવાં લાગ્યાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy