SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ' ૧૩૦ આ હકીકત વાયુવેગે ફેલાઈ યશાદિત્ય શેઠ પિતાની પુત્રી દેવિનીને લઈને ત્યાં આવ્યું. જમાઈને ઓળખવાથી અને દુઃખી થઈને બળી મરવા તૈયાર થયા. સાચી વાત જાણતાં રાજા ત્યાં આવી કેટવાલને ઠપકો આપવા લાગ્યા. કેટવાલ કહે અમે મુદ્દામાલ સાથે દેખવાથી પકડી લાવ્યા છે, બાકી અમે કઈ જ્ઞાની-ચોગી નથી. રાજા શેઠને આશ્વાસન આપે છે કે, આમાં દૈવજ અપરાધી છે, આમાં અમારી બુદ્ધિ કામ કરતી નથી. તમે આત્મહત્યા કરવાની વાત છેડી દે. મન પર્યવ જ્ઞાની અમરેશ્વર આચાર્યની પધરામણી " આ વૃત્તાંતથી ઘણા પ્રાણીઓને પ્રતિબંધ થશે, એમ જાણી મન:પર્યવ જ્ઞાની આચાર્ય મહારાજા ત્યાં પધાર્યા. દેવોએ ત્યાં સુગંધી જળની વૃષ્ટિ કરી, પુષ્પ વરસાવ્યાં, અને સુવર્ણ કમળની વિમુર્વણ કરી. અમરેશ્વર આચાર્યો તે સુવર્ણ કમળ ઉપર બેસી ધર્મદેશના આપી કે અઢાર પાપસ્થાનકેને ત્યાગ કરે, ક્ષમાને આદર કરે, કર્મબંધ સમયે ચેતી જાઓ. નહિ તે આ અરુણુદેવ-દેવિની જેમ દુઃખ ભેગવવાં પડશે. ' રાજા વગેરેએ આચાર્ય ભગવંતને પૂછ્યું કે એમણે તેવું શું પાપ કર્યું હતું? જ્ઞાન વડે સૂર્ય સરખા આચાર્ય ભગવંતે અને પૂર્વભવ કહ્યો. ત્યાં બેઠેલી પર્ષદા વૈરાગ્ય પામી, વીંધાયેલા અરુણુદેવ અને દેવિનીને જાતિ-મરણ જ્ઞાન પ્રગટ ૧ દરેકના મનની વાત જાણી શકે એવા જ્ઞાનવાળા. -- -- - -- - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy