SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ધરણે હવે સમુદ્ર-યાત્રાની સફરે નીકળવાનું વિચાર્યું. બંને જાતની લક્ષ્મી-પ્રાપ્તિ માટે હવે તે ઉસુક હતે. સમુદ્ર માર્ગે પ્રયાણ કરી તે વૈજયંતી નગરીમાં આવી પહોંચે. અને અહીંથી તેણે બીજી એપ શરૂ કરી. ત્યાં તેનું વહાણ ભાંગી ગયું. એટલે કાષ્ઠ-પાટિયાના સહારે તે એક કપ ઉપર પહોંચ્યા. “ભાગ્યશાળીને ભૂત રળે” ધરણ માટે એવો ઘાટ થયે. આ દ્વીપ સુવર્ણદ્વીપ હતે. અહીંની ભૂમિમાં સુવર્ણ-રજ હતી, એટલે તેણે આ ઘાતુ-ક્ષેત્રમાં સુવર્ણની ઈટ બનાવી તેના સંપુટ બનાવ્યા. તેમાં પિતાનું નામ પણ અંકિત કર્યું. બીજી બાજુ ચીનદેશથી સાર્થવાહ પુત્ર સુવદનનું વહાણ આ તરફ આવી રહ્યું હતું. સુવદને જોયું કે–ડે દૂર કઈ વહાણ ભાંગી જવાથી ભયને સંકેત બતાવનારું નિશાન દેખાય છે. એટલે તેણે પિતાનું વહાણ લાંગયું. અને ધરણુ પાસે પહે. ધરણે કહ્યું, આ સુવણ-ઈટેના સંપુટોનું બહુમૂલ્ય કરિયાણું મારી પાસે છે. તે જે તમે તમારા વહાણમાં ભરી લે તે હું આવું. સુવદને પિતાનું અલ્પમૂલ્યવાળું, કરિયાણું ફગાવી દીધું અને એ સંપુટ તેમાં ભરી દીધા અને સેદાની શરતે પરસ્પર નક્કી કરી. બંને દેવપુર તરફ આગળ વધ્યા. ભાગ્યયોગે એ જ વહાણમાં ધરણની પ્રિયતમા લક્ષ્મી પણ ઉપસ્થિત હતી. ધરણે લક્ષમીને ઓળખી લીધી. ધરણને જોઈ લક્ષ્મી ક્ષોભ પામી જ્યારે લક્ષ્મીને જઈ વરણ ખુશી થયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy