________________
રત્નાકર પચ્ચીશી (૩)
[ ૨૯
[૧૪] કરે કાળજાને કતલ પીડા કામની બિહામણી, એ વિષયમાં બની અંધ હું વિડબના પામ્યા ઘણી, તે પણ પ્રકાશ્ય આજ લાવી લાજ આપતણું કને, જાણો સહુ તેથી કહું કર માફ મારા વાંકને.
[૧૪૧] નવકારમંત્ર વિનાશ કીધ અન્ય મંત્ર જાણીને, કુશાસ્ત્રના વાકયો વડે હણું આગમની વાણીને, કુદેવની સંગતથકી કર્મો નકામા આચર્યા, મતિભ્રમ થકી રન ગુમાવી કાચ કટકા મેં ગ્રહ્યા.
[૧૪૨] આવેલ દ્રષ્ટિમાર્ગમાં મૂકી મહાવીર ! આપને, મેં મૂઢધીએ હૃદયમાં ધ્યાયા મદનના ચાપને, નેત્રબાણે ને પાધર નાભીને સુંદર કટ, શણગાર સુંદરીએ તણા છટકેલ થઈ જેય અતિ.
[૧૪૩] મૃગનયની સમ નારી તણ મુખચંદ્ર નિરખવાવતી, મુજ મન વિષે જે રંગ લાગ્યો અ૮૫ પણ ગાઢ અતિ, તે કૃતરૂપ સમુદ્રમાં ધાયા છતાં જાતે નથી, તેનું કહે કારણ તમે બચું કેમ હું આ પાપથી ?
[૧૪] સુંદર નથી આ શરીર કે સમુદાય ગુણતણે નથી, ઉત્તમ વિલાસ કળાતણી દેદીપ્યમાન પ્રભા નથી, પ્રભુતા નથી તે પણ પ્રભુ અભિમાનથી અકકડ ફરું, ચોપાટ ચાર ગતિતણું સંસારમાં છેલ્યા કરું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org