________________
સામાન્ય જિન સ્તુતિ
[ ૧૭૩ [૮૪૮] તારા ચરણને શરણ રૂપે મૂઢ હું ન ભળી શકો, વાર્યા છતાં પણ વિષમ પંથથી નાથ હું ન વળી શકો, પામ્યા અમૂલા સાધને નહિં સદુપયોગ કરી શકે, નવ ભક્તિના સ્વાદિષ્ટ જલને દીન હું ન ભરી શકે.
[૮૪૯] હે નાથ ગ્રહી અમ હાથ, રહીને સાથે માર્ગ બનાવો નવ ભૂલીએ કદી કષ્ટમાં પણ પાઠ એક પઢાવજે. પ્રભુ અસત્ આચરતાં ગણું નિજ બાળ સત્ય સુણાવ અન્યાય પાપ અધર્મ ના ગમે, સ્વરૂપ એ સમજાવજો.
[૮૫] આત્મભાવથી હે પ્રભુ ! વંચિત રહ્યો કંઈ કામથી, સદ્દબોધના વચને ધર્યા મેં કાનમાં નહિ પ્રેમથી, સત્સંગના પંથમાં કદી પગલું ભર્યું નહિં ભાવથી, પામીશ કયારે નાથજી ! હું પાર આ ભવસિંધુથી.
[૮૫૧] યથાસ્થિત વાદી છે દેવા ત્રણ ભુવનના દીવા, કેવળજ્ઞાની હે વીતરાગી ! કરે દેવતા સેવા, શરણભાવને સાચા હૈયે સાચા ભાવે સ્વીકારું, કરું સમર્પણ તનમન સહુનું મંગલ કરજે મારું.
– ૪ – ૪ – ૪ –
[૮૫ર પ્રાર્થના-૧ મારી છેલ્લી ઘડીએ પ્રભુજી આવજો રે, વહાલા આજથી દઉ છું તમને નોતરૂ રે, જે જે પ્રભુજી કદિએ ના ભૂલાય
મારી૦૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org