________________
૧૫૬ ]
વીતરાગ સ્તુતિ સંચય
[૭૬૩] અન્નપાણી લાવવા મુનિ પાંચસોને વિનવે, સુમંગલા સુત ભરતજી ચકી બન્યા તૃતીય ભવે, વર ભોગ ભોગવતા છતાં કેવલી બન્યા ગૃહસ્થીમાં, એભાવ ઉત્તમ દ્રઢબને મુજ માંસ મજજા અસ્થીમાં
[૭૬૪] સુબાહુ ભવ મુનિ પાંચસેની શરીરની કરે સુશ્રુષા, આશ્ચર્યકારી ચકી હારે એહવું બળ સુશ્રુષા, નિજ ભાત ઘાત વિચારીને સંયમી બને બાહુબલી, કેવલી બન્યા એ સુશ્રુષા ઘો મુંજ કરી દષ્ટિ ભલી.
[૭૬૫] સયમ મલે તે રાજય લેવું એહ બુદ્ધિ અભયની,
ત્પાતિકી વૈનેયિકી કામિકી બુદ્ધિ અભયની, ત્રણ ત્યાગી ધરતે પારિણામિક બુદ્ધિને શિવસુખ કાજ, પારિણમિકી બુદ્ધિ નમી તુજ માંગતે વીતરાગ આજ.
સમ્યક્ત્વથી શોભિત કરે ત્રિકાલ પ્રભુની પૂજના, સુવર્ણ અક્ષતથી કરે નિત વીર વિષ્ણુની પૂજના, જીનનામબંધ નિકાચતે શ્રેણિક થશે શ્રી પદ્મનાભ, એકજ પ્રભુ હું માંગતે જિનરાજ કેરે ભક્તિ લાભ
કલિકાલમાં તે એક તારક જિન તારું કૃત નાણ, કલિકાલ સર્વજ્ઞ પ્રભુની સાંભળીને એવી વાણ, રને મઢી ઉપાશ્રયે પુસ્તક લખાવે પ્રેમથી કુમાર પાલની શ્રુત ભક્તિ આપ પ્રભુજી પ્રેમથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org