________________
[૫૪]
+ સાડત્રીસમું શ્રી જીતકલ્પછેદસૂત્રનું પૂજના
જીતકલ્પ સૂત્રે કહ્યો, આલોયણ અધિકાર છે
શ્રી જિનરાજે જીવનો, કરવા ભવ વિસ્તાર / ૧ / // નંદ સલુણા નંદના રે લોલ, તુમે મને નાંખી ફંદમાં રે લોલ-એ દેશી
શ્રી જિનરાજ પૂજા કરી રે લોલ, પ્રાયશ્ચિત્ત સવિ પરિહરો રે લોલ ! વિનય કરીને ધ્યાઈ યે રે લોલ, મધુર સ્વરે ગુણ ગાઇયે રે લોલ ! ૧ | આણાયે કરણી કરે રે લોલ, તે પ્રાણી ભવજણ તરે રે લોલ | અવિધિ દોષને છડિયે રે લોલ, વિધિયોગે સ્થિર કંડિયે રે લોલ ! ર દોષ તજી નિજ દેહથી રે લોલ, આલોયણ કરી નેહથી રે લોલ / પડિક્કમણે અઘ વારિયે રે લોલ, મીસ વિવેગ મન ઘારિયે રે લોલ || ૩ | કાઉસ્સગે અઘ ટાળિયે રે લોલ, તપ કરી પાતક ગાળિયે રે લોલ ! છેદ તથા મૂલ જાણિયે રે લોલ, અણવક્રિયપદ માણિયે રે લોલ . ૪ / પારંચિત દશમો વળી રે લોલ, કહે જિન ગણધર કેવળી રે લોલ . જિનઆણા પૂજા દયા રે લોલ, કરી ઉત્તમ શિવપદ ગયા રે લોલ | ૫ | જીતકલ્પ જે જાણશે રે લોલ, તે હઠવાદ ન તાણશે રે લોલ ! શ્રી ગુરુ પદ્યવિજય કહી રે લોલ, વાણી રૂપવિજય લહી રે લોલ ! દા
––––– –––– * મધુર સ્વરે ઉપરની પૂજા ભણાવવી – પછી થાળી ડંકો વગાડતા પ્રદક્ષિણા ક્રમે આગમ છોડ -૩૭- પાસે જવું.
ત્યારે સંગીતકાર ઓરગન કે કેસીયો ઉપર જુદી જુદી તર્જ વગાડે - 38 શ્રી જીવકલ્પ છેદ સૂત્રાય નમો નમઃ સ્વાહા
આમંત્ર બોલી આગમ પધરાવો – પછી પૃ.૧૩ થી ૧૬ ઉપર આપેલી વિધિમુજબ દુહા અથવા મંત્ર બોલીને
આગમ પૂજન કરાવવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org