________________
(૧૩૦)
વિધિસંગ્રહ-૧-(યોગ સંબંધિ સુચના) દે ત્યાં સુધીમાં છીંક થાય-છીંક સંભળાય-અક્ષર આઘોપાછો બોલાય-કુડો બોલાય–ઓધો મુહપત્તિ પડે કે કાંઇ અડી જાય તો ભાંગેફરીથી કરવું પડે, પાત્રાં વિગેરેના સંઘટ્ટાના મુહપત્તિનો આદેશ માંગતાં અને દાંડો થાપતાં પણ તેજ પ્રમાણે જાણવું પરંતુ યાવત્ સંઘટ્ટાની ક્રિયામાં પોતાને છીંક આવે તો બધું જાય.
રાત્રે ૧૨ વાગ્યા પછી અને પહેલાં ઠલ્લે જવું પડે તો બે દિવસ પડે પણ તે દિવસનાં કાલગ્રહણો તો કાયમ રહે-કાલગ્રહણની ક્રિયા થાય, કાલપવેવા વખતે હાજર ન હોય તો કાલગ્રહણ જાય.
શ્રુતસ્કંધના સમુદ્દેસ કે અનુજ્ઞાને દિવસે રાત્રે ઠલ્લે જવું પડે તો કાલગ્રહણ જાય-તે દિવસે કાલગ્રહણની ક્રિયા ન થાય. જે સ્થાને સંઘટ્ટો લે તે સ્થાને ચારે બાજુ સો સો ડગલાં વસતિ, શુદ્ધ હોવી જ જોઇએ, અશુદ્ધ વસતિમાં સંઘટ્ટો લઇ આહાર પાણી વિગેરે કરે તો દિવસ પડે.
જ્યારે જ્યારે વાંદણાં દેવાનાં હોય ત્યારે ત્યારે નાણ માંડલી હોય તો પ્રભુજીને પડદો કરાવીને પછી સ્થાપનાચાર્ય સામે વાંદણાં દેવાં, અને પછી પડદો કઢાવી પ્રભુજીની સામે ક્રિયા કરવી પડે.
સાધુ સાધ્વીની વડીદીક્ષાના દિબંધમાં સાધુને કોટીગચ્છ, ચાંદ્રકુલ, વયરીશાખા, અમુકનામા આચાર્ય અને અમુકનામા ઉપાધ્યાય એ બે નામ, અને સાધ્વીની વડીદીક્ષામાં આચાર્ય ઉપાધ્યાય અને પ્રવૃત્તિની એ ત્રણ નામ કહેવાં.
માંડલીયા જોગમાંથી નિકળે તે દિવસથી ઉત્કૃષ્ટ છ માસ સુધી વડીદીક્ષા લઇ શકે અને વડી દીક્ષા લે તે દિવસથી ઉત્કૃષ્ટ છ માસ સુધીમાં માંડલીનાં સાત આયંબીલ કરી શકે. અને જઘન્યથી તો વડીદીક્ષાના બીજા દિવસથી જ કરી શકાય. પણ જોગ પૂરા થઇ ગયા હોય તો.
રાત્રે બન્ને કાલગ્રહણની ક્રિયા જુદી જુદી કરીએ તો સજ્ઝાય અને પાટલી બંનેના થઇને ૬-૬ થાય પરંતુ જો ક્રિયા ભેગી કરે તો પાંચ કરવાની પ્રવૃત્તિ છે.
હાલમાં ભગવતીજીનાં (૭૫) કાલગ્રહણ પૂર્ણ થયા પછી જ (મહિનામાં) પાંચ તિથી આંબીલ અને બાકી નિવિઓ અને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org