SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ નિવિમાં શાક અને ફળ વિગેરે લીલોતરી પણ લેવાની પ્રવૃત્તિ છે. દરેક સૂત્રોના મૂળ દિવસો (જેમકે આવશ્યક અને દશવૈકાલિકના ૨૩) થઇ એ પછી વૃદ્ધિના (આલોયણાના) અને પડેલા જેટલા હોય તેટલાં પવેણાં કરાવવાં. યોગમાં હોય ત્યારે સાંજની પડિલેહણમાં પચ્ચક્ખાણ પૂર્વે વાંદણાં દેવાં નહીં. આદ્રા નક્ષત્ર ઉપર સૂર્ય આવે ત્યારથી તે સ્વાતિ નક્ષત્ર ઉપર સૂર્ય ન આવે ત્યાં સુધી તારા જોવાની જરૂર નહીં અને તારાની અસજ્ઝાય ન હોય અને સ્વાતિ નક્ષત્ર ઉપર સૂર્ય આવે ત્યારથી તારા જોવા પડે, અસજ્ઝાય ગણાય. એવો એક યોગવિધિમાં પાઠ છે. મૂલ વિધિમાં નંદિ નથી તો પણ આપણે પરંપરા મુજબ નંદિ અનુયોગના યોગમાં નંદિ કરાવીએ છીએ. ખાસ કારણે પભાઇ કાલનાં નુંતરાં ત્રણવાર દેવાય છે. ઉત્તરાધ્યનના યોગમાં જે વસ્તુ ન કલ્પે તે મહાનિશીથાદિ આગાઢ જોગમાં પણ ન કલ્પે. અનાગાઢયોગમાંથી કારણસર નિકળવું પડે તો વધારેમાં વધારે ઉત્સેપથી છ માસની અંદર અનુશા થાય તો જ પૂર્વે કરેલા તે યોગના જેટલા દિવસો થયા હોય તેટલા રહે, અન્યથા જાય-ફરી કરવા પડે. શુક્લ પક્ષમાં બીજ ત્રીજ અને ચોથ સાંજના વાઘાઇ કાલગ્રહણ ન લેવાય. * વિશેષ ખુલાસા * વડી દીક્ષાની નંદિ અને દશવૈકાલિકની અનુજ્ઞા નંદિ એક દિવસે આવી હોય તો એક જ નંદિથી ચાલે, અને વડી દીક્ષાનું મુહૂર્ત મોડું હોય તો બહુડિપુત્રાપૌરૂષી પ્રથમ કરે, અને સજ્ઝાય પચ્ચક્ખાણ પછી કરાય. સમાચારી પ્રમાણે અકાલ વરસાદની અસજ્ઝાય ત્રણ પહોરની રખાય છે, પણ તેનો લેખ નથી. ચૂલીપવેવાનો હમણાં રીવાજ નથી. હાલમાં ગણીપદ સ્થાપન કર્યા પછી પવેણું કરાવાય છે, અને પછી પચ્ચકખાણ કરીને સજ્ઝાય કરાય છે. (દરેક પદવીમાં તેમજ સમજવું.) (૧૩૧) Jain Education International For Private & Personal Use Only વિધિસંગ્રહ-૧-(યોગ સંબંધિ સુચના) www.jainelibrary.org
SR No.005162
Book TitleVidhi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy