________________
કાલગ્રહણની ક્રિયા સંપૂર્ણ થઇ ગઇ અને દેરાસર દર્શન ચૈત્યવંદન ન કર્યું હોય તે પૂર્વે અંતરાય આવે તો દિવસ ન પડે ને કાલગ્રહણ પણ ન જાય.
પવેણાની ક્રિયા કરી રહ્યા અને સજ્ઝાય પઠાવવાની અને પાટલીની ક્રિયા બાકી રહી હોય અને અંતરાય આવે તો તેનાં તે દિવસનાં કાલગ્રહણ જાય અને દર્શન ન થયાં તેથી દિવસ ન પડે.
મહાનિશીથ નંદિ અને અનુયોગના જોગ ન કર્યા હોય તે, યોગ કે ઉપધાનમાં અંતરાયવાળી સાધ્વીઓ કે શ્રાવિકાઓને પણ ક્રિયા કરાવી શકે નહીં. (સેન પ્રશ્ન દ્વિ. ઉ.૫૮ તથા તત્વરરંગિણી).
જ્યારે જ્યારે આદેશ માગે ત્યારે ત્યારે આદેશ માગ્યા પછી ઇચ્છે, કહેવું જોઇએ.
(ઇરીયાવહી, કુસુમિણદુસુમિણનો કાઉસ્સગ્ગ ને જગચિંતામણીથી ભરેહસરની સજ્ઝાય સુધી કર્યા પછી) વિરતિકાલ અને પભાઈકાલ સાથે લઇ, પછી પ્રતિક્રમણ, પડિલેહણ કરી; કાલ પવેવીને બે સજ્ઝાય પઠાવી, બન્ને કાલગ્રહણનું અનુષ્ઠાન સાથે કરી, પછી એક સજ્ઝાય પઠાવીને ત્રણ પાટલીઓ કરી, વિરતિકાલનું અનુષ્ઠાન પુરૂં કરી, પછી પભાઇકાલની બે સજ્ઝાય પઠાવી અને બે પાટલીઓ કરવી.
કાલ ત્રણ ગાઉ થકી પવેયાતાં જો આવ્યાં હોય તો લીધા સૂજે.
અનુયોગ સંભળાવવો, અને માંડલીનાં સાત આંબીલની ક્રિયા, મહાનિશીથવાળો પણ કરાવી શકે.
ભગવતીજીના જોગમાં કોઇક પ્રતોમાં ૧૮૮ અને કોઇક પ્રતોમાં ૧૮૯ દિવસો પણ લખ્યા છે. તેમાં ઓળીનાં અસજ્ઝાયના (૧ તિથિનો ક્ષય હોય તો) ૧૦ દિવસ અને ચોમાસાના બે મળી ૧૨ ગણાય છે તેની સાથે, ક્ષય ન હોય અને એક તિથિ વધે તો ૧૪ થાય, અને કોઇક પ્રતોમાં મુસલમાનોની બકરી ઇદની અસજ્ઝાયનો ગણ્યો છે. (અત્યારે તો ૧૮૬ દિવસ જ ગણાય છે ઉપર મુજબના અસજ્ઝાયના દિવસોનો અંદર સમાવેશ થાય છે જુદા ગણવામાં આવતા નથી).
સવારમાં તથા સાંજે ક્રિયામાં સંઘટ્ટો અને આઉત્તવાણય લેતાં અને મેલતાં મુહપત્તિ પડિલેહવાના આદેશથી તે મિચ્છામિદુક્કડં
વિધિસંગ્રહ-૧-(યોગ સંબંધિ સુચના)
(૧૨૯)
૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org