________________
(૧૨ ૬)
વિધિસંગ્રહ-૧-(યોગ સંબંધિ સુચના) સંઘટ્ટો પાતરાં સાથે લે ત્યારે દાંડો દશ બોલથી ત્રણવાર એટલે ૩૦ બોલથી પડિલેહવો અને એકલા દાંડાનો સંઘટ્ટો લે તો પણ ૩૦ બોલથી પલેવે.
વિહરવા જાય ત્યારે અને સ્પંડિલ જાય ત્યારે વળાવું કરનાર આચાર્ય અને પોતાની વચ્ચે પંચેન્દ્રિયની આડ પડે તો સંઘટ્ટો જાય. વળી ત્રણ આચાર્ય સાથે હોય તો સો ડગલા વ્હાર પણ કોઇ જોગવાળાને આડ પડે નહિ.
એક ગણી કે પંન્યાસના બે આચાર્ય ગણી-લેખી તેની સાથે એક અન્ય આચાર્ય હોય તો પણ આડ પડે નહી અન્યથા આડ પડો તો સંઘટ્ટો જાય.
સંઘો ગયો તેનું પાણી કે આહાર વાપરે કે આહાર પરઠવે તો દિવસ પડ-બીજા સાધુ વાપરી જાય તો દિવસ પડે નહીં, ફરી સંઘટ્ટો લઈ પાણી કે ગોચરી લાવવી જોઇયે. પાણી પરઠવાય, આહાર પરઠવાય નહીં.
ગુરૂ જ્યારે જ્યારે ત્રણ નવકાર કે નંદિ આદિ પાઠ બોલી વાસક્ષેપ કરે ત્યારે “નિત્થારગપારગાહોહ' કહે અને પછી શિષ્ય ઇચ્છામો અણુસર્હિ કહે છે.
આચાર્ય હોય તે સ્પંડિલ જોગવાળાને લેઇ ને જાય ત્યાં સારી જગ્યામાં ઉભા રહી દાંડો થાપી ઇરિયાવહી કરી એકેક કાંકરી જોગવાળાઓને આપે; કાંકરી આપનાર આચાર્ય જોગમાં હોય તો જોગવાળો બીજો આચાર્ય તેને પણ ઇરિયાવહી કરી કાંકરી આપે ઈંડિલ જઇ પાછા ભેગા થાય ત્યારે કાંકરીઓ કાઢી નાંખે તે દરમ્યાન આડ પડે નહીં અને તે પ્રમાણે કરે પણ છે.
પહેલે દિવસે કાલ પર્વવ્યા પછી એક સઝાય પઠાવીને પછી યોગમાં પ્રવેશ કરાવી પછી નંદિ વિગેરેની ક્રિયા કરાવવી. જોગ કરાવનારનો પણ જોગ કરનારની માફક બન્ને વખત પડિલેહણમાં ઓઘો છોડીને પડિલેહવો જોઇએ.
યોગમાંથી નીકળે તે દિવસે શ્રી યોગ નિખેવાવણી નંદિ કરાવણી વાસ, દેવ૦ કાઉ૦ પરિમિતિ વિનય વિસર્જાવણી પાલી પારણું કરશું ? એમ બોલવું.
ઉનાળે શિયાળે પાટલી મલે તો કામળી ઉપર કાલ લેવાય, દાંડી ન મળે તો બીજી વધારાની ઠવણી (ના છુટા કરેલ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org