________________
સૂત્રો બોલીને નંદિની ક્રિયા કરાવી શકે. ઉપધાનમાં નહી.
સાંજની ક્રિયામાં કાલિકયોગમાં ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! દાંડી કાલમાંડલા પડિલેહશું ? એ આદેશ અનુજ્ઞા સુધી જ હોય, અને ત્યાં સુધી જ હંમેશા બન્ને વખત જોગનું દંડાસણ, પાટલી, દાંડીઓ અને કાલભૂમિ પડિલેહવાં જોઇએ.
દેહરે ગયા પૂર્વે સંઘટ્ટો લઇને ઠલ્લે જઇ શકાય પણ સજ્ઝાય પઠાવવાની ક્રિયા અને પાટલીની ક્રિયા કર્યા પહેલાં ઠક્લે જાય. તો
કાલગ્રહણ જાય.
સાતિકામાં બે ત્રણ ચાર કાલ લેવાય.
યોગવિધિમાં એક સજ્ઝાય યોગ કરાવનાર પઠાવે એમ સામાન્ય લખ્યું છે તે હાલમાં યોગ કરાવનાર જેટલાં કાલગ્રહણ હોય તેટલી સજ્ઝાય પડાવે છે.
સવારની પાટલીની ક્રિયામાં ત્રીજી પાટલીએ વિરતીના આદેશ અને પાંચમીએ પભાઈના, તેમ રાતની ક્રિયામાં ત્રીજી પાટલીએ વાધાઈના અને પાંચમીએ અદ્ધરત્તીના આદેશ માગવા.
પાલી પલટાવવી હોય તો ૧૫ દિવસ પૂરા થયે એકવાર પલટાવી શકાય.
હાલમાં વરસાદની (છાંટા થાય તો, અકાલે વૃષ્ટિ થાય તો) ત્રણ પહોરની અસજ્ઝાય પરંપરાથી ગણાય છે. ગાજની એક પહોરની અને વીજની બે પહોરની અસજ્ઝાય ગણાય છે.
જોગનું દંડાસણ સુપાત્ર અને સવળાં પીછાનું રાખવું.
કાલગ્રહી તથા દાંડીધર જોગમાં હોય, અને કાલગ્રહણ લેવાં હોય તો સાંજની ક્રિયામાં સ્થંડિલ પડિલેહસું ? એવો આદેશ માગે અને નુંતરાં દઇને પછી ત્યાં જ ખમા૦ દઈ સ્થંડિલ પડિલેહવાનો આદેશ માગી સ્થંડિલ પડિલેહે.
સંઘટ્ટો લેતાં તરપણીના તથા લોટના દોરા અને ચરવલી (પાત્રકેસરિકા) ૩૦ (દશ દશ ત્રણવાર) બોલથી પડિલેહવાં તથા તગડી (ઠેસી) ૪ બોલથી પડિલેહવી એમ જોગવિધિમાં લખેલ છે.
(૧૨૫)
Jain Education International
For Private & Personal Use Only
વિધિસંગ્રહ-૧-(યોગ સંબંધિ સુચના)
www.jainelibrary.org