________________
(૧૨૪)
વિધિસંગ્રહ-૧-(યોગ સંબંધિ સુચના) વાઘાઈ કાલગ્રહણ પ્રતિક્રમણ કરીને સંથારા પોરીસી ભણાવ્યા પૂર્વે જ એક સક્ઝાય પઠાવી તેનું અનુષ્ઠાન પવેણા મુહપત્તિના આદેશ પૂર્વે સુધીનું કરી, શેષ બે સક્ઝાયો પઠાવી ત્રણ પાટલીઓ કરીને પછી સંથારા પોરિસી ભણાવીને અદ્ધરત્તિ કાલ લેવું, અને પછી એક સક્ઝાય પઠાવી અનુષ્ઠાન કરીને છેવટે બે સક્ઝાય અને પાટલી કરીને સૂઇ જવું.
પોરીસી ભણાવ્યા પહેલા દેવસી અને પછી રાઇ બોલવું. દિશાવલોક કરનારે સાવધાનપણે બેસવું. હાલ તો ચાર કાલગ્રહણ લીધાં હોય તો પણ સવારે એક જ ઠેકાણે એકથી માંડીને ચારે કાલગ્રહણનો કાલ સાથે જ પવેવાય છે. ગણિ, કે મહાનિશીથના યોગવાળો, યોગ કરનાર, કરાવનાર કે માંડલીયા જોગ કરેલો પણ કાલ પdવી શકે. જોગમાં ન હોય તે સાધુ કાલગ્રહણ લે તો સાંજે નુતરાં દેતાં પહેલાં પચ્ચખાણ કરે અને નુતરાં દઇને પછી ઈંડિલ પડિલેહે ૪૫ કાલગ્રહણે આચાર્ય થાય. સાતિકાના સાત દિવસ થયા પહેલાં આગળ કાલગ્રહણ ન લેવાય. દશ (સર્વ) પન્નામાં પહેલું છેલ્લું અને વચમાં પાંચ તીથીએ આયંબીલ કરવાં અને બાકીની નિવિઓ કરે.
આવશ્યક અને દશવૈકાલિકના યોગ છેદોપસ્થાપના વખતે થઈ જાય છે ત્યાર પછી જોગનો અનુક્રમ હાલમાં પરંપરાથી આ પ્રમાણે ચાલે છે, પ્રથમ ઉત્તરાધ્યયન તે પછી આચારાંગના અને પછી કલ્પસૂત્રના અને ત્યાર પછી નંદિ અને અનુયોગના કરાવીને મહાનિશીથના કરાવાય છે અથવા મહાનિશીથના બાવન આયંબીલ થયા પછી નંદિ અને અનુયોગનાં ૭ આયંબીલ કરાવે છે, તેમાં સંઘટ્ટો આઉત્તવાણયની જરૂર નહીં. અને કોઇક મહાનિશીથમાંથી કાઢીને કેટલા દિવસને અંતરે નંદિ અનુયોગના જોગ કરાવે છે, આટલા જોગ જેણે કર્યા હોય તે શ્રાવક શ્રાવિકાને ઉપધાન કરાવે, તથા માળ પહેરાવી શકે તથા બીજા સાધુ સાધ્વી ને પોતે કરેલા જોગ કરાવી શકે પણ વડી દીક્ષા આપી શકે નહીં.
વડી દીક્ષા “ગણી” થયા પછી જ આપી શકે એટલે ભગવતીની અનુજ્ઞા થયા પછી ગણી કે પંન્યાસ થયેલ હોય તે જ આપી શકે.
મહાનિશીથ વિના નંદિ અનુયોગના યોગ કર્યા હોય તે, યોગની અને વ્રત ઉચ્ચરાવવાની તથા દીક્ષાની નંદિની ક્રિયામાં નંદિના
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org