________________
ખમા દઇ ઇચ્છા, સંદિસહ સંઘટ્ટો લેવાવણી કાઉસ્સગ્ન કરૂ? ઇચ્છ, સંઘટ્ટો લેવાવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ કહી એક નવકારનો કાઉસ્સગ્ગ, પછી નમો અરિહંતાણં કહ્યા વગર પ્રગટ નવકાર કહેવો.
પછી ખમા દેઇ અવિધિ આશાતના મિચ્છામિદુક્કડ કરી જમણો હાથ સવળો કરી એક નવકારે દાંડો ઉથાપવો.
પછી જો આઉત્તવાણય લેવું હોય તો ફરી એક નવકારથી સાથે સાથે દાંડો થાપી ઉપર મુજબ આદેશ માંગવા ફક્ત સંઘઠ્ઠા શબ્દની જગ્યાએ આઉત્તવાણય શબ્દ બોલવો, ને દાંડો ઉત્થાપવો ત્યાં સુધી આદેશ સમજવા.
ગોચરી પછી ઈરીયાવહી પડિક્કમિ પાંતર વિગેરે ૨૫ બોલથી પુંજીને બાંધી દેવાં અથવા તો સાંજે પડિલેહણ કરીને પછી પાતરાં વિગેરે પુંજીને બાંધવા ને શેષનાલમાં ગુચ્છા ચઢાવવા.
૧. સંઘટ્ટો, આઉત્તવાણય, લેતાં છીંક થાય, અથવા અક્ષર આઘો પાછો કે બે વાર બોલાય અથવા ઓઘો મુહપત્તિ શરીરથી ખસી જાય અથવા કોઇ વસ્તુ કે માણસ અડકી જાય અથવા પંચેન્દ્રિયની આડ પડે તો બધી ક્રિયા જાય, ફરી કરવું પડે. - ૨. હવે સંઘટ્ટો લેઇ આચાર્ય સાથે ગોચરી જાય તેમાં પંચેન્દ્રિયની આડ પડે નહીં તે ધ્યાન રાખવું, નહીંતર આડા પડે તો ભાત પાણી કામમાં આવે નહિ ફરીથી નવો સંઘટ્ટો લેવો પડે.
૩. વોરતી વખતે પાંતરાં તાપણી, લોટ વિગેરે શરીરથી છેટાં મૂકે નહીં, મૂકે તો જાય અને ભૂલથી મૂકાયું હોય પણ બોલ્યા ન હોય તો તુરત જ લઇ શકાય.
૪. માંડલીના સાત આયંબીલ સિવાયના બધા જોગમાં આખું ધાન્ય, ખાખરા, કે મેથી વાળું પાપડનું શાક વિગેરે કામમાં આવે નહીં. (મગ આખું ધાન જ છે તે ખ્યાલમાં રાખવું)
૫. આહાર પાણી કરી રહ્યા પછી પાતરાં મૂકવાં હોય ત્યારે મહાનિશીથવાળા પાસે નીચે પ્રમાણે બોલી રજા માગવી ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ? ભાત પાણી સંઘટ્ટ આઉત્તવાણયે ઝોળી પાતરાં મૂકું ?” (મૂકે કહે ત્યારે મૂકવા,) દાણોદૂણી છૂટાને ભળે, સંઘટે કુસંઘટ્ટ મિચ્છામિદુક્કડ, ઇચ્છકારિ ભગવદ્ પસાય કરી પચ્ચખાણ કરાવોજી. પચ્ચખાણ કરી, સ્થાપનાજી ખુલ્લા કરી ચૈત્યવંદન કરવું. (૧૨ ૧)
વિધિસંગ્રહ-૧-(પાતરાં કરાવવાનો વિધિ)
3)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org