SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ તેમાં દાંડી એક પડીલેહીને ઉપરની એક ડાબી બાજુએ નીચે મુકવી, પછી બેઠાં એક નવકા૨ે પાટલી થાપવી ને એક નવકારે બેઠાં ડાબી બાજુની દાંડી થાપવી, પછી ઉભા થઇને એક નવકારે થાપવી. પછી ખમાસમણ દઈ ઇચ્છા સંદિસહ મુહપત્તિ પડિલેહું ? ઇચ્છું કહી મુહુપત્તિ પડીલેહી, પછી બે વાંદણાં દેવાં. પછી ઉભા થઈ ઈચ્છા∞ સંદિહ સજ્ઝાય સંદિસાઉં ? ઇચ્છે, પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ સજ્ઝાય પઠાવું ? જાવશુદ્ધ * ઇચ્છે, સજ્ઝાયસ્સ પઠાવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, નમો અરિહંતાણં બોલ્યા વિના, હાથ ઉંચા કરી, લોગસ્સ સાગરવરગંભીરા સુધી કહી ધમ્મો મંગલની સત્તર ગાથા બોલીને, હાથ નીચે રાખીને એક નવકારનો કાઉસ્સગ્ગ કરી નમો અરિહંતાણં કહ્યા વગર એક નવકાર મોઢેથી બોલવો. પછી બે વાંદણાં દઈ ઉભા રહીને ઈચ્છાકારેણઅંદિસહ સજ્ઝાય પવેઉં ? ઇચ્છું ખમાસમણ દઈ ઈચ્છકારિ સાહવો સજ્ઝાય સુજે ? બીજા (ભેગા કરતા હોય તે) સર્વે બોલે સુજે, ભગવન્ ! મુ. સુઝાય સુદ્ધ. ખમાસમણ દઈ ઈચ્છા∞ સંદિસહ ભગવન્ ! સજ્ઝાય કરૂં ? ઈચ્છું કહી નીચે બેસી, એક નવકાર કહી ધમ્મો મંગલની પાંચ ગાથા કહેવી, પછી બે વાંદણાં દેવાં, પછી ઉભા રહીને ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! બેસણે સંદિસાઉં ? ઇચ્છું. ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! બેસણે ઠાઉં ? ઇચ્છું. ખમાસમણ દઈ અવિવિધ આશાતનાનો મિચ્છામિ દુક્કડં દેવો એક નવકારે ઉથાપવી. એક કાલગ્રહણ હોય તો કાળ પવેવ્યા પછી તુરત એક સજ્ઝાય પઠાવવી અને બે કાલગ્રહણ હોય તો બે પઠાવવી, પછી અનુષ્ઠાન ક્રિયા કરવી. તેમાં જો— * પભાઇકાલ સિવાયની સજ્ઝાયમાં જાવશુદ્ધ ન બોલવું. ૧. અનુષ્ઠાનની ક્રિયા કરતાં પહેલાં જ સજ્ઝાય પઠાવવાની છે તે સજ્ઝાય અનુષ્ઠાનની ક્રિયા કરાવનારને પણ પઠાવવી જોઇએ. (૧૧૫) વિધિસંગ્રહ-૧-(સજ્ઝાય પઠાવવાનો વિધિ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005162
Book TitleVidhi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy