________________
કર્મના રસ વિષે.
योऽर्द्धार्द्धन च्छिद्यमानो रसांशः सर्वविद्धिया । न दत्तेंशं सोऽविभाग-परिच्छेद इह स्मृतः ॥ ११७ ॥ तत्रैकसमयोपात्ते कर्मस्कंधेऽत्र येऽणवः । सर्वाल्पिष्ठरसाश्छिद्य-मानास्तेऽपि रसांशकैः ॥ ११८ ॥ सर्वजीवानंतगुणान् प्रयच्छति रसांशकान् । एषां चाल्परसाणूनां निचयो वर्गणादिमा ॥ ११९ ॥ अन्यासां वक्ष्यमाणानां वर्गणानामपेक्षया । स्युर्भूयांसोऽणवोऽत्राल्प- रसा हि बहवोऽणवः ॥ १२० ॥ रसाविभागभागेन तत एकेन येऽधिकाः ।
द्वितीया वर्गणा तेषा मणूनामिह कीर्त्तिता ॥ १२१ ॥ इयं च वर्गणा हीना परमाणुव्यपेक्षया ।
आद्याया वर्गणाया य-देते तेभ्यो रसाधिकाः ॥ १२२ ॥
रसाविभागभागस्ये-त्येकैकस्य प्रवृद्धितः ।
वर्गणाः परमाणूनां तावद्वाच्या मनीषिभिः ॥ १२३ ॥
કરે છે. ૧૧૬.
જે રસાંશનો સર્વજ્ઞની બુદ્ધિએ અર્ધ-અર્ધપણે છેદ કરતાં છેવટે અંશ ન થઈ શકે-ભાગ ન પડે તેને અહીં અવિભાગ પરિચ્છેદ કહેવાય છે. ૧૧૭.
૩૦૧
તેમાં એક સમયે ગ્રહણ કરેલાં કર્મસ્કંધોમાં જે પરમાણું સર્વ કરતાં અલ્પ રસવાળા હોય, તે પણ રસાંશવડે છેદાવાથી સર્વ જીવથી અનંતગુણા રસાંશને આપે છે. એવા અલ્પ રસવાળા પરમાણુઓનો જે સમૂહ તે પહેલી વર્ગણા. ૧૧૮-૧૧૯.
આગળ કહેવાશે એવી બીજી વર્ગણાઓની અપેક્ષાએ આ વર્ગણાના અલ્પ રસવાળા પરમાણુઓ બહુ વિશેષ હોય છે, કારણ કે જે અલ્પરસવાળા પરમાણુઓ હોય તે ઘણા હોય
છે. ૧૨૦.
Jain Education International
પહેલી વર્ગણા કરતાં અવિભાજ્ય રસાંશવડે અધિક એવા જે પરમાણુઓ છે તેવા પરમાણુઓના સમૂહની બીજી વર્ગણા કહી છે. ૧૨૧.
આ વર્ગણા પરમાણુઓની અપેક્ષાએ પહેલી વર્ગણા કરતાં હીન છે, કારણ કે આ બીજી વર્ગણાના અણુઓ પહેલી વર્ગણાના અણુઓ કરતાં અધિક રસવાળા છે. ૧૨૨.
આ પ્રમાણે અવિભાજ્ય એક-એક ૨સાંશવડે વધતી વર્ગણાઓ બુદ્ધિમાનોએ ત્યાં સુધી
For Private & Personal Use Only
www.jainelibrary.org