________________
૨૨૧
પંચમ આરાના જીવોનું વર્ણન.
प्रहिता ये वणिज्यायै विश्वस्तैरन्यभूमिषु । श्रेष्ठिनां तेऽपि सर्वस्वं मुष्णंत्यान्यीकृता अपि ॥ ४३ ॥ छलेनाश्वास्य जल्पाद्यैः क्षत्रिया घ्नंति वैरिणः । प्रायेणाऽनीतियुद्धानि कुर्वते मृत्युभीरवः ॥ ४४ ।। स्नुषाः श्वशुरयोः सम्यग् विनयं न वितन्वते । प्रसादमुचितं तेऽपि वधूटीषु न कुर्वते ।। ४५ ॥ यैः सर्वस्वव्ययैः पोषं पोषमुद्वाह्य वर्द्धिताः । તેણઃ પિતૃગો મિત્રા: શુ: ધાંધ: ત્રીમુવા: સુતાઃ | ૪૬ // प्रविश्य हृदयं पत्युः खरा वक्रमुखी वधूः । पितृपुत्रौ पृथक्कुर्या-कुंचिकेवाशु तालकं ।। ४७ ।। માતાપિત્રોરવિવા: મૂશ્વશુરયો: પુનઃ | विश्वासः परमः पत्नी-वचसा हंति मातरं ।। ४८ ॥ नापि पुष्णंति संपन्नाः पितृमात्रादिपक्षजान् ।। पत्नीवांश्च पुष्णंति वित्तवस्त्राशनादिभिः ॥ ४९ ॥
શિષ્યો પણ ગુરુનાં શત્રુ બનશે. ૪૨.
વેપારીઓએ વિશ્વાસ કરીને જેમને પરદેશમાં વ્યાપાર માટે મોકલેલા હોય તેવા નોકરો, શેઠવડે બનેલા હોવા છતાં પણ શેઠનું બધું દ્રવ્ય પોતાનું કરી બેસશે. ૪૩.
ક્ષત્રિયો કપટયુક્ત વાણીવડે આશ્વાસન આપીને વૈરીઓને હણી નાખશે અને મૃત્યુના ભીરુ એવા પ્રાયે અનીતિયુદ્ધ જ કરશે. ૪૪.
પુત્રવધૂ સાસુ-સસરાનો સમ્યપ્રકારે વિનય નહીં કરે અને તે સાસુ-સસરા પણ પુત્રવધૂ પ્રત્યે ઉચિત પ્રસાદ નહીં કરે. ૪૫.
જેને સર્વસ્વનો વ્યય કરવા દ્વારા પોષણ કરી કરીને પરણાવીને મોટા કર્યા હોય તેવા પુત્રો પણ ક્રોધાંધ અને સ્ત્રીમુખા થઈને પિતાથી જુદા થશે. ૪૬.
ખર-કઠોર અને વિક્રમુખી એવી વધૂ પતિના હૃદયમાં પેસીને ચાવી જેમ તાળાના બે ભાગને જુદા પાડે તેમ પિતા-પુત્રને શીધ્ર જુદા પાડશે. ૪૭.
પુત્રો માતાપિતાનો અવિશ્વાસ કરશે અને સાસુ-સસરાનો વિશ્વાસ કરશે. વળી પત્નીના વચનથી માતાને પણ માર મારશે. ૪૮.
પુત્રો સમૃદ્ધ થવા છતાં માતા-પિતા વિગેરેના સંબંધીઓને પોષણ આપશે નહીં, પરંતુ દ્રવ્ય વસ્ત્ર અને અશન-ખાનપાનાદિવડે સ્ત્રીના સંબંધીઓનું - સાસરીયાનું પોષણ કરશે. ૪૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org