________________
૫૦૯
વાસુદેવ અને બળદેવનું સ્વરૂપ
हारो मुक्तामणिमयः स्याच्चतुःषष्टियष्टिकः । महा?ऽत्यंतरुचिरः सर्वेषामपि चक्रिणां ॥५५८॥ यथागममिति प्रोक्तं स्वरूपं चक्रवर्तिनां । अथ तद्वासुदेवानां प्रोच्यते सीरिणामपि ॥५५९॥ एतेऽपि प्राग्भवाचीर्ण-तप:संयमसंवरैः । अर्जितोत्तमकर्माण उत्पद्यते सुधाशिषु ॥५६०॥ तेभ्यश्च्युत्वोच्चगोत्रेषु महर्द्धिकमहीभृतां । कुलेषु ते प्रजायंते न तु नीचाल्पसंपदां ॥५६॥ वैमानिकेभ्य एवात्र वासुदेवा भवंति ते । अवश्यं तत्पदप्राप्त्यै प्राक्कल्पितनिदानकाः ॥५६२॥ अत: एवातिगाद्धर्येन भुक्त्वा भोगाननुत्तरान् । प्रयांति नरकेष्वेव ते व्रताऽप्रभविष्णवः ॥५६३।। बलदेवास्तु देवेभ्यः सर्वेभ्योऽपि भवंति ते । प्राग्भवे नीर्निदानत्वा-दंते स्वीकृत्य संयमं ॥५६४॥
સર્વ ચક્રવર્તીઓને ચોસઠ સરનો મુક્તામણિમય હાર હોય છે. તે હાર મોટી કીંમતવાળો અને અત્યંત મનોહર હોય છે. પ૫૮.
એમ અર્થથી ચોથા અંગમાં કહ્યું છે. આ પ્રમાણે આગમમાં કહ્યા પ્રમાણે ચક્રવર્તીનું સ્વરૂપ કહ્યું હવે વાસુદેવ અને બળદેવનું સ્વરૂપ કહીએ છીએ. પ૫૯
એ વાસુદેવ અને બળદેવ પણ પૂર્વભવે આચરેલા તપ, સંયમ અને સંવરવડે ઉત્તમ કર્મને ઉપાર્જન કરીને દેવલોકમાં ઉત્પન્ન થયેલા હોય છે. ૫૬૦.
ત્યાંથી ચ્યવને ઉચ્ચગોત્રમાં અને મહદ્ધિક એવા રાજાના કુળમાં ઉત્પન્ન થાય છે; પણ નીચકુળમાં કે અલ્પ સંપદાવાળાને ત્યાં ઉત્પન્ન થતા નથી. ૫૬૧.
વાસુદેવો વૈમાનિકમાંથી આવીને જ ઉત્પન્ન થાય છે અને તેઓ તે પદની પ્રાપ્તિને માટે પૂર્વભવમાં અવશ્ય નિયાણું કરેલા જ હોય છે. પ૬૨.
તેથી અતિ વૃદ્ધતાવડે અનુત્તર એવા ભોગને ભોગવીને નરકમાં જ જાય છે. તેઓ વ્રત લઈ શકતા નથી. ૫૬૨.
બલદેવ ચારે પ્રકારના દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. તેઓ પૂર્વભવમાં નિયાણું કર્યા વિનાના હોય છે, તેથી તે અંતે, સંયમ ગ્રહણ કરીને સ્વર્ગે અથવા મોક્ષે જાય છે; પરંતુ એમને વૈરાગ્યની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org