SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ કાળ દ્રવ્યની સિધ્ધિ किंच तथाहि किंच - वर्त्तमानातीतभावि - व्यपदेशोऽपि दुर्घटः । विना कालं मिथोऽर्थानां सांकीर्ण्य चापि संभवेत् ॥४९॥ वर्त्तमानव्यपदेश-मतीतोऽनागतोऽपि वा । भजेन्नियामकाभावे तत्कालोऽस्ति नियामकः ॥५०॥ तत्रातीतो द्विधाऽभाव - विषयप्रतिभेदतः । विनष्टो घट इत्याद्यो ऽद्राक्षं तमिति चापरः ॥ ५१ ॥ | भाव्यप्येवं द्विधा तत्रा- दिम उत्पत्स्यमानकः । घटाद्यर्थो द्वितीयस्तु गमिष्यन्नक्षगोचरं ॥ ५२ ॥ क्षिप्रं चिरं च युगप - मासवर्षयुगादयः । પપરાર્થે મોઘ-જી:Æ:વાવિવાદ્ય: રૂ। लोके ख्याता: संति शब्दाः कालद्रव्याभिधायिनः । तेऽपि शुद्धपदत्वात्स्वाभिधेयमनुमांति वै ॥५४॥ कालः षष्ठं पृथग् द्रव्य-मागमेऽपि निरूपितं । कालाभावे च तानि स्युः सिद्धांतोक्तानि षट् कथं ॥५५॥ કાળદ્રવ્ય ન માનીએ તો વર્તમાન, ભૂત અને ભવિષ્ય કથન ઘટી શકે નહીં, તથા પદાર્થો પરસ્પર મિશ્ર થઈ જવાનો સંભવ છે.૪૯. ૯ કારણકે જો પદાર્થનો નિયામક કાળ ન હોય, તો અતીત અથવા અનાગત પદાર્થ પણ વર્તમાન તરીકે કહી શકાય. તેથી તો નિયામક કાળ જ છે એમ માનવું યોગ્ય છે.૫૦. તેમાં અતીત કાળ બે પ્રકારનો છે-અભાવ અને વિષય. તેમાં ‘ઘટ વિનાશ પામ્યો' એ અભાવઅતીત છે, અને ‘તેને મેં જોયો હતો.' એ વિષયઅતીત છે.૫૧. ભવિષ્યકાળના પણ બે પ્રકાર છે તેમાં ‘ઘટાદિ પદાર્થ કાલે ઉત્પન્ન થશે.' એ અભાવભવિષ્ય છે, અને ‘તેને હું કાલે જોઈશ.'' એ વિષયભવિષ્ય કહેવાય છે.૫૨. તેમજ જલ્દી, ચિરકાળ, એકી સાથે, માસ, વર્ષ, યુગ વિગેરે પોર, પરાર, ઓણ, આજ, ગઈ કાલ, આવતી કાલ અને કદાચિત્ વિગેરે જે કાલદ્રવ્યને કહેનારા શબ્દો લોકમાં પ્રસિદ્ધ છે, તે પણ શુદ્ધ પદ (એક જ શબ્દ) હોવાથી પોતાના અર્થને (દ્રવ્યરૂપે અસ્તિત્વને) અનુમાનથી સિદ્ધ કરે છે.૫૩ ૫૪. Jain Education International કાલ નામનું છઠ્ઠું દ્રવ્ય આગમમાં પણ જુદું કહેલું છે, કેમકે કાલદ્રવ્ય ન હોય તો સિદ્ધાંતમાં કહેલાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy