________________
द्रब्यलोक
'वनस्पति ' नेविषे · जीववत्त्व ' नी प्रतीति । (३५३) क्रमप्राप्ता निरूप्यन्ते भेदा अथ वनस्पतेः । साधारणस्य प्रत्येकवपुषश्च यथाक्रमम् ॥ २८ ॥ स्थावराणां सात्मकत्वमनंगीकुर्वतः प्रति । आदौ वनस्पतिद्वारा स्पष्टं तदुपपाद्यते ॥ २९ ॥
पृथ्व्यादीनां सात्मकत्वे युक्तियुक्तेऽपि युक्तयः । वनस्पते: सात्मकत्वे गम्याः स्थूलदृशामपि ॥ ३० ॥ दिग्मात्रेणात्र ता एव दयन्ते व्यक्तिपूर्वकम् । ततस्तदनुसारेण ज्ञेयान्येष्वपि चेतना ॥ ३१ ॥ __ मूले सिक्तेषु वृक्षेषु फलादिषु रसः स्फुटः । स चोच्छ्वासमन्तरेण कथमूर्ध्वं प्रसर्पति ॥ ३२ ॥ रसप्रसर्पणं स्पष्टं सत्युच्छ्वासेऽस्मदादिषु । तदभावे तदभावो दृष्टश्च मृतकादिषु ॥ ३३ ॥ अन्वयव्यतिरेकाभ्यां ततो रसप्रसर्पणम् ।
उच्छ्वासमाक्षिपति यत् व्याप्यं न व्यापकं विना ॥ ३४ ॥ હવે ક્રમવાર આવતા પ્રત્યેક” અને “સાધારણ' વનસ્પતિના ભેદનું નિરૂપણ કરવામાં भाव छ. २८.
જેઓ “સ્થાવર”ને જીવવાળા નથી ગણતા એમને માટે પ્રથમ વનસ્પતિ દ્વારા તે વાત સ્પષ્ટપણે સમજાવી પ્રતિપાદન કરીએ. ર૯.
પૃથ્વીકાય આદિને વિષે જીવ છે એ વાત સમજાવવામાં સારી યુક્તિ વાપરવી પડે છે. પણ વનસ્પતિનું જીવવત્ત્વ સિદ્ધ કરવામાં જે યુક્તિ લગાડવામાં આવે છે એ સ્થલદષ્ટિવાળાઓ પણ સમજી શકે એવી છે. એ યુકિતઓનું કિંચિત્માત્ર, વ્યકિતપૂર્વક દિગ્દર્શન કરાવીએ; પછી એને અનુસારે બીજા સ્થાવરમાં પણ જીવવત્વ–ચેતના છે એની ખાત્રી થઈ જશે. ૩૦-૩૧.
વૃક્ષના મૂળમાં જળસિંચન કર્યાથી એના ફળ વગેરેમાં રસ દેખાય છે એ ફુટ છે. ત્યારે એ રસ, જે ઉચ્છવાસ ન હોય તે, ઉંચે ક્યાંથી પ્રસરે ? ૩૨.
આપણુ–મનુષ્યોમાં પણ ઉચ્છવાસને લીધે જ સ્પષ્ટપણે રસનો પ્રસાર થાય છે. જુઓ કે મૃતક વગેરેમાં ઉછવાસના અભાવને લીધે રસને પ્રસાર થતું નથી, ૩૩.
માટે અન્વય અને વ્યતિરેકથી, રસનું પ્રસર્ષણ ઉશ્વાસ સિદ્ધ કરે છે. કારણકે વ્યાપક વિના વ્યાપ્ય હોય નહિં. ૩૪.
૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org