SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ પર ] ઉપદેશપદ-અનુવાદ સુવર્ણના દાગીના સહિત તેને જવા દીધી.” આ પ્રમાણે ચંડાળે કહ્યું, એટલે અભયકુમારે ચોરનો નિશ્ચય કર્યો. પછી પકડાવીને કહ્યું કે, “બગીચે કેમ બગાડ્યો?” ચંડાળે કહ્યું કે, “હે નાથ ! મારી વિદ્યાના બળથી.” એ સમગ્ર વૃત્તાન્ત શ્રેણિકને કહ્યો. રાજાએ કહેવરાવ્યું કે, તારી વિદ્યાઓ જે તું મને આપે, તો તું છૂટી શકે, નહિંતર તારા પ્રાણ લેવાશે.” ચંડાળે વિદ્યાદાન કરવાનું સ્વીકાર્યું. હવે શ્રેણિક રાજાએ રાજસિંહાસન ઉપર બેસીને વિદ્યા ભણવાનું શરુ કર્યું. વારંવાર પદો બેલાવી ગોખે છે, ઘણો પ્રયત્ન કરે છે, પરંતુ રાજાને વિદ્યા આવડતી નથી; એટલે રાજા ચંડાળ ઉપર રોષાયમાન થઈને કહે છે કે, “તું મને વિદ્યા બરાબર આપતો નથી.” ત્યારે વચમાં અભયે કહ્યું કે, હે દેવ આપને વિદ્યા નથી આવડતી, તેમાં તેને અ૮૫ પણ દોષ નથી. વિનયથી ગ્રહણ કરેલી વિદ્યાઓ સ્થિર અને ફળ આપનારી થાય છે. તે આ ચંડાળને સિંહાસન ઉપર બેસારી આપ નીચે પૃથ્વી ઉપર બેસીને વિનય-સહિત હવે ભણે, જેથી ! વિદ્યા આવડી જાય.” તે જ પ્રમાણે રાજાએ કર્યું, એટલે વિદ્યાઓ જલદી રાજામાં સંક્રાત થઈ. ત્યાર પછી અત્યંત સ્નેહીજન માફક તેને સત્કાર કરી વિદાય કર્યો. માટે જે આ લોકનાં તુછ કાર્ય સાધી આપનાર વિદ્યા પણ હૃદયમાં ભાવ-બહુમાન રાખીને મેળવી શકાય : છે અને હીનજાતિના ગુરુને પણ અતિ વિનય કરવાથી જ મેળવી શકાય છે, તે પછી સમસ્ત મનવાંછિત પદાર્થ દેવા સમર્થ જિનવચન આપનાર પ્રત્યે ડાહ્યો પુરુષ વિનયથી વિમુખ કેમ બની શકે ? (૬૭) બાકીની સંગ્રહણી ગાથાનો ભાવાર્થ – દેવે એકથંભિયે મહેલ બનાવી આપે, તેમ જ મહેલની ચારે દિશામાં વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત અને શિશિર એમ છએ ઋતુ સાથે રહે-તેવા પ્રકારનાં ફળે, ફૂલે દરરોજ દરેક ઋતુનાં સાથે ઉત્પન્ન થાય, તે બગીચો પણ દેવે કરી આપે. કઈક સમયે ચંડાલ-પત્નીને આમ્રફલ ઉત્પન્ન ન થાય તેવા સમયે આમ્રફલ ખાવાનો દેહલો થયે. ચાંડાલે પોતાની વિદ્યાના બળથી તે બગીચામાંથી આમ્રવૃક્ષની શાખા નમાવીને આ પ્રફલ તેડી લીધાં. ત્યાર પછી શ્રેણિક રાજાએ ફલ વગરની શાખા દેખી કેપ કર્યો અને અભયને ચાર શોધવાની આજ્ઞા આપી. (૨૧) તેની શોધ કરતાં ઈન્દ્રમહોત્સવમાં નટના ખેલ-પ્રસંગે એકઠા થયેલા લોકોને અભયકુમારે એક મોટી કન્યાની કથા સંભળાવી. (૨૨) કેઈક કુમારી પતિ મેળવવા માટે, કામદેવની પૂજા માટે બગીચામાંથી વગર રજાએ પુપો તેડીને જતી હતી, તેને માલીએ અટકાવી. “લગ્ન કર્યા પછી પ્રથમ મારી પાસે આવવું.” એ શરતે મુક્ત કરી. લગ્ન થયા પછી આગલે વૃત્તાન્ત કહી પતિની રજા લઈ માળી પાસે ગઈ. (૨૩) માર્ગમાં જતાં જતાં ચોરે અને રાક્ષસ મળ્યા. તેમને યથાર્થ હકીકત જણાવી, તેથી તેઓએ પણ વળતાં આવવાની શરતે મુક્ત કરી. અનુક્રમે તે શરત પ્રમાણે માળીની પાસે આવી. માળીએ ખલના કર્યા વગર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy